ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ અરવિંદ કેજરીવાલને આપી શુભેચ્છા, જાણો કેવી રહી કેજરીવાલની રાજકીય સફર

આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. આજે તેઓ 54 વર્ષના થયા. પીએમ નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જાણો કેવી રહી કેજરીવાલની રાજકીય સફર આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, à
10:17 AM Aug 16, 2022 IST | Vipul Pandya
આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. આજે તેઓ 54 વર્ષના થયા. પીએમ નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જાણો કેવી રહી કેજરીવાલની રાજકીય સફર આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, à
આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. આજે તેઓ 54 વર્ષના થયા. પીએમ નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જાણો કેવી રહી કેજરીવાલની રાજકીય સફર 
આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરી સહિત બીજેપીના ઘણા નેતાઓએ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. 

કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યમંત્રી 
બીજી તરફ કેજરીવાલે પણ શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું." વડાપ્રધાનની શુભેચ્છાનો જવાબ આપતા કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, “આભાર સર.” 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના ભિવાનીમાં જન્મેલા કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યમંત્રી છે. તેઓ દિલ્હી અને પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે. 



ગડકરીએ પણ શુભેચ્છા પાઠવી 
એક સમયે કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કરનાર નીતિન ગડકરીએ પણ અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને જન્મદિવસની શુભેચ્છા. તમે સ્વસ્થ અને લાંબા સમય સુધી રહો, હું ભગવાનને આ જ ઈચ્છું છું.'' કેજરીવાલે જવાબમાં લખ્યું, 'ખૂબ ખૂબ આભાર સર'. મોદી સરકારના અન્ય મંત્રી ભગવંત ઢુબાએ પણ દિલ્હીના મુખ્યમંત્રીને સારા સ્વાસ્થ્ય સાથે લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લખ્યું, "દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા. ભગવાન તેમને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે. શુભકામનાઓ.''

અરવિંદ કેજરીવાલનું બાળપણનું નામ 'કૃષ્ણ' છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું બાળપણનું નામ 'કૃષ્ણ' છે, દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ છે. અરવિંદ કેજરીવાલનું બાળપણનું નામ કૃષ્ણ હતું. જન્માષ્ટમીના દિવસે તેમનો જન્મ થયો હોવાથી તેમને આ નામ આપવામાં આવ્યું હતું. 


IITથી દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર
1968માં હરિયાણાના હિસારમાં જન્મેલા કેજરીવાલની IITથી દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર ઘણી રોમાંચક રહી છે.   IIT ખડગપુરમાંથી સ્નાતક થયા પછી, કેજરીવાલ વર્ષ 1992 માં ભારતીય મહેસૂલ સેવામાં જોડાયા અને પછી વર્ષ 2000માં નોકરીમાંથીરજા લીધી. વર્ષ 2006 માં, તેમણે ફરી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને દિલ્હીમાં પરિવર્તન નામની નાગરિક ચળવળમાં જોડાયા. નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલે દિલ્હીમાં 2010ની કોમનવેલ્થ ગેમ્સ બાદ ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉઠાવ્યો હતો. 


અન્ના હજારે સાથે મળીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું
કેજરીવાલે માહિતી અધિકાર કાયદા પર પણ લાંબી લડાઈ લડી હતી. તેમણે અન્ના હજારે સાથે મળીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. બાદમાં 26 નવેમ્બર 2012ના રોજ અરવિંદે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રચના કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2013 માં, આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં તેના ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને તેમને 25864 મતોથી હરાવ્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો મેળવી અને કોંગ્રેસ સાથે 49 દિવસની સરકાર ચલાવી. 


2015ની ચૂંટણીમાં કેજરીવાલની જંગી જીત
2015ની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતીને ન માત્ર બહુમતી તો મેળવી પરંતુ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. આ પછી, 2020ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલની AAPને 62 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને તે ચૂંટણીમાં માત્ર 08 બેઠકો મળી હતી. 
 
કેજરીવાલને એક પુત્ર અને એક પુત્રી
1995માં અરવિંદ કેજરીવાલે 1993 બેચની IRS ઓફિસર સુનીતા સાથે લગ્ન કર્યા. કેજરીવાલને એક પુત્ર અને એક પુત્રી છે. વર્ષ 2006માં ભારતમાં માહિતી અધિકાર એટલે કે માહિતી અધિનિયમની ચળવળ માટે કેજરીવાલને રામન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Tags :
AAPArvindKejariwalPoliticalcareerArvindKejriwalBirthdayGujaratFirstNitinGadkariPMModi
Next Article