PM Modi Gujarat Visit : PM Narendra Modi ફરી આવશે ગુજરાત પ્રવાસે
રિપોર્ટ અનુસાર, ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ તેઓ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરશે.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવશે. રિપોર્ટ અનુસાર, ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ તેઓ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરશે. 150 કરોડના ખર્ચે નિર્મિત આ સંકુલને ત્યાર બાદ ખુલ્લું મુકાશે. આ નિમિત્તે CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી હાજર રહેશે. 2000 વિદ્યાર્થીઓ માટે રહેણાક અને અભ્યાસની સુવિધા આ સંકુલમાં કરવામાં આવી છે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં આધુનિક બાંધકામ કરાયું છે. GPSC અને UPSC માટે ખાસ તાલીમ કેન્દ્ર પણ ઉપલબ્ધ રહેશે. 1000 વ્યક્તિની ક્ષમતાનો વિશાળ હોલ તૈયાર કરાયો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે....... જુઓ અહેવાલ.....
Advertisement


