PM Narendra Modi 3 દિવસ Gujarat પ્રવાસે
- PM Narendra Modi 3 દિવસ Gujarat પ્રવાસે
- PM આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે
- PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે
- PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શોમાં નિહાળશે
- 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ
- PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને આપશે લીલી ઝંડી
- ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેજ
- ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી કરશે રાત્રિ રોકાણ
- 12મી જાન્યુ. જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ
PM નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ આધ્યાત્મિક અને વિકાસલક્ષી કાર્યોમાં સહભાગી થશે. પ્રવાસના પ્રારંભે PM મોદી કેશોદ એરપોર્ટથી સીધા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ પવિત્ર ઓમકાર જાપમાં ભાગ લેવાની સાથે ભવ્ય ડ્રોન શો પણ નિહાળશે.
11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં બે કાર્યક્રમ
ત્યારબાદ, 11 અને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે, જેમાં વડાપ્રધાન મોદી સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના 5.5 કિમી લાંબા મેટ્રો ફેજ-2 ને લીલી ઝંડી આપી જનતા માટે ખુલ્લો મુકશે. આ રોકાણ દરમિયાન તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ વિશ્રામ કરશે. પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 12મી જાન્યુઆરીએ, PM મોદી જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે, જે આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જાણો દરેક ખબર


