76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનુ રાષ્ટ્રને સંબોધન
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રનુ સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણો દેશ વિશ્વ સમુદાયમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે.
Advertisement
76th Republic Day : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રનુ સંબોધન કર્યુ . રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે, વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાંની એક ભારતને જ્ઞાન અને શાણપણનું ઉદગમ સ્થાન માનવામાં આવતું હતું, પરંતુ ભારતને એક અંધકારમય સમયગાળામાંથી પસાર થવું પડ્યું. આજે, આપણે સૌ પ્રથમ તે બહાદુર યોદ્ધાઓને યાદ કરીએ છીએ જેમણે દેશ અને આપણને આઝાદ કરાવવા માટે સૌથી મોટું બલિદાન આપ્યું હતું. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ.
Advertisement


