Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે રવિવારે પીએમને આ એવોર્ડ આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વ.લતા મંગેશકરના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.સ્વર્ગસ્થ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની આવતીકાલે 80મી પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. માસ્ટર દીનાનાથ મંગેશકà
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે રવિવારે પીએમને આ એવોર્ડ આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વ.લતા મંગેશકરના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.સ્વર્ગસ્થ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની આવતીકાલે 80મી પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું છે કે,અમે આ વર્ષથી લતા મંગેશકરના સન્માનમાં આ એવોર્ડ શરૂ કર્યો છે. પીઢ ગાયિકા લતા મંગેશકરનું આ વર્ષે ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે નિધન થયું હતું.

પુરસ્કારનો હેતુ આર્ટનો સન્માનિત કરવાનો
નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ વ્યક્તિ છે જેમને આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કારનો હેતુ આર્ટનો સન્માનિત કરવાનો છે, જેમણે નાટક, સંગીત, કલા, ચિકિત્સા અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરિવારે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ મોદી હંમેશા લતા મંગેશકરને તેમની મોટી બહેન તરીકે જોતા હતા.  આ સાથે જ અભિનેત્રી આશા પારેખ, અભિનેતા જેકી શ્રોફને પણ વિશેષ શ્રેણીમાં માસ્ટર દીનાનાથ એવોર્ડ આપવામાં આવશે. આ બંને કલાકારોએ સિનેમા ક્ષેત્રે અદભૂત યોગદાન આપ્યું છે.
ખાસ સંગીત કાર્યક્રમનું પણ આયોજન 
સંગીત ક્ષેત્રના રાહુલ દેશપાંડેને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સંજય છાયાને બેસ્ટ ડ્રામા માટે પણ સન્માનિત કરવામાં આવનાર છે. સાથે જ એવોર્ડ સમારોહ દરમિયાન એક ખાસ સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. 'સ્વરલતાંજલિ' કાર્યક્રમ દરમિયાન ગાયક રૂપકુમાર રાઠોડ દ્વારા લતા મંગેસકરના ગીતોનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો છે. 
Tags :
Advertisement

.

×