રાજકોટમાં પાણી મુદ્દે જનઆક્રોશ! દૂષિત પાણીથી પરેશાન રહીશોએ થાળી-વેલણ સાથે 150 ફૂટ રિંગરોડ પર કર્યો ચક્કાજામ
Rajkot : રાજકોટના ગોવર્ધન ચોક પાસે આવેલી આર્યમાન રેસીડેન્સીના રહીશોએ છેલ્લા 10 દિવસથી આવી રહેલા ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને ઉગ્ર વિરોધ (Protest) પ્રદર્શિત કર્યો છે. સ્થાનિક લોકોએ શહેરના વ્યસ્ત એવા 150 ફૂટ રિંગરોડ પર થાળી-વેલણ વગાડીને ચક્કાજામ (Road Blockade) કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
Advertisement
Rajkot : રાજકોટના ગોવર્ધન ચોક પાસે આવેલી આર્યમાન રેસીડેન્સીના રહીશોએ છેલ્લા 10 દિવસથી આવી રહેલા ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને ઉગ્ર વિરોધ (Protest) પ્રદર્શિત કર્યો છે. સ્થાનિક લોકોએ શહેરના વ્યસ્ત એવા 150 ફૂટ રિંગરોડ પર થાળી-વેલણ વગાડીને ચક્કાજામ (Road Blockade) કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી નળમાં એસિડ અને ડ્રેનેજ (Drainage) જેવી તીવ્ર દુર્ગંધ ધરાવતું દૂષિત પાણી (Contaminated Water) આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં ગંભીર રોગચાળો (Epidemic) ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા આખરે જનતાએ રસ્તા પર ઉતરીને વહીવટીતંત્ર સામે પોતાનો આક્રોશ (Outrage) વ્યક્ત કર્યો છે.

