Rajkot: આજી ડેમમાં ડૂબી જતા પિતા-પુત્ર સહિત 4 લોકોના મોત
Rajkot : રાજકોટના આજીડેમમાં વાહન ધોવા અને ન્હાવા ગયેલા ચાર યુવાનો ડૂબ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ફાયર વિભાગે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ ચાલુ છે.
Advertisement
- Rajkot ના આજીડેમમાં ન્હાવા જતા 4 લોકો ડૂબ્યા
- ત્રણ લોકોના મૃતદેહ મળ્યા, હજુ એકની શોધખોળ
- ચારેય લોકો પાણીમાં વાહન ધોવા માટે ગયાનું અનુમાન
- ડેમમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ કરી લેવાઇ
- ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાનું મોત
- તમામ ત્રણ મૃતકો ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી
Rajkot : શહેરની શાન ગણાતા આજીડેમ (Aji Dam) ખાતે આજે એક અત્યંત કરુણ ઘટના ઘટી છે. ડેમમાં ન્હાવા ગયેલા ચાર યુવાનો ઊંડા પાણીમાં ડૂબ્યા હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની મદદથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ (Search Operation) હજુ પણ તેજ ગતિએ ચાલી રહી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


