Rajkot: ઉપલેટામાં ITIના વિદ્યાર્થીના આપઘાત કેસમાં ખુલાસો, "પરિવારની એક જ માગ, અમારે ન્યાય જોઈએ"
Rajkot: ઉપલેટામાં ITIના વિદ્યાર્થીના આપઘાત કેસમાં ખુલાસો, "પરિવારની એક જ માગ, અમારે ન્યાય જોઈએ"
Advertisement
રાજકોટનાં (Rajkot) ઉપલેટામાં ITI નાં વિદ્યાર્થીનાં આપઘાતનાં કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ITI માં વાયરમેનનો કોર્ષ કરતા ધાર્મિક ભાસ્કર (Dharmik Bhaskar Case) નામનાં યુવકે દોઢેક મહિના પહેલા ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બાબતે ગુનો નોંધાતા ઉપલેટા પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, હવે મૃતક ધાર્મિકનાં મોબાઇલમાંથી એક વીડિયો મળી આવ્યો છે, જે તેણે આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે ચોંકાવનારો ખુલાસા કર્યા છે.
Advertisement


