Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: જંગલેશ્વર ડિમોલિશનનો મામલો ગૂંચવાયો, સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો નિર્ણય

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નિર્ધારિત ડિમોલિશનની કાર્યવાહી હાલમાં અનિશ્ચિતતામાં મુકાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જંગલેશ્વરના સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતા અને સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી વિસ્તારના રહીશોમાં નવી આશા જન્મી છે.
Advertisement

Rajkot: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપાએ સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જંગલેશ્વરના સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે સમગ્ર મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. આગામી સમયમાં કલેક્ટર તંત્ર મારફતે આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી કલેક્ટર હસ્તકની જમીન પર ડિમોલિશનની સ્થિતિ ટાળી શકાય. સામાજિક અગ્રણી પુરુષોતમ પીપળીયાએ આ બાબતે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જમીની વાસ્તવિકતા સમજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વહીવટી તંત્રના સંકલનથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Tags :
Advertisement

.

×