Rajkot Politics: પૂર્વ ચેરમેન રાજભા ઝાલાની પોસ્ટથી મેયર નેહલ શુક્લ મુશ્કેલીમાં?
રાજકોટ રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક સૂચક પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ પોસ્ટમાં મેયર નેહલ શુક્લની કામગીરી અને તેમના પર રહેલા ધર્મસંકટ અંગે સીધો નિર્દેશ કરવામાં આવ્યો છે, જેણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ જગાવી છે.
Advertisement
Rajkot Politics: રાજકોટ રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. રાજભા ઝાલાએ પોતાની પોસ્ટમાં નેહલ શુક્લ પર સિંહની સવારી કરી હોવાનો કટાક્ષ કર્યો છે. એક તરફ પક્ષના નિયમો અને બીજી તરફ જનતાની અપેક્ષાઓ વચ્ચે મેયર ધર્મસંકટમાં હોવાનું તેમણે જણાવ્યું છે. રાજભા ઝાલાએ મેયરની કામગીરીના વખાણ કરવા છતાં ચેતવણી આપી છે કે જો ભૂતકાળના કૌભાંડો બહાર આવશે, તો નેહલ શુક્લની મુશ્કેલીઓ ચોક્કસપણે વધશે. આ પોસ્ટ બાદ રાજકોટના રાજકારણમાં હવે કઈ દિશામાં વળાંક આવશે, તે જોવું રસપ્રદ રહેશે. વધુ માહિતી માટે જુઓ આ અહેવાલ..

