Ahmedabad : લગ્નેતર સંબંધોથી હસતો-રમતો પરિવાર વિખેરાયો
અમદાવાદના રાણીપમાં પત્નીના લગ્નેતર સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો કરુણ અંત આણી દીધો છે. દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધોથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા દશરથભાઈએ બે પેજની સુસાઈડ નોટ અને 7 મિનિટનો હૃદયદ્રાવક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે પત્ની પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સુસાઈડ નોટ મુજબ, ભગવતી પોતાના બાળકોની હાજરીમાં જ અન્ય પુરુષો સાથે સહવાસ કરતી હતી અને અગાઉ અનેકવાર સમાધાન કરવા છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહોતો. એટલું જ નહીં, પત્નીએ 25 લાખ રૂપિયા અને સંબંધીઓના દાગીના પણ પડાવી લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "દીકરા-દીકરી માફ કરજો પપ્પા નહીં જીવી શકે" તેવા શબ્દો સાથે દશરથભાઈએ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ લાંબા સમયથી ફરાર ભગવતી દેસાઈની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેના ફોનને FSLમાં તપાસ માટે મોકલી અન્ય કોઈની મદદગારી અંગે તપાસ તેજ કરી છે. જુઓ અહેવાલનો વીડિયો


