ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના 4 મહિનામાં રાજીનામા

શક્તિપીઠ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં 23 ઓગસ્ટ 2022માં નવીન ટ્રસ્ટી મંડળની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી. આ વ્યવશ્થાપન કમિટીમાં રાજ્ય સરકાર દ્વારા બિનરાજકીય સભ્યો સાથે સાથે બીજેપી, RSS તેમજ પૂર્વ સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જીતેન્દ્રભાઈ મોદી, બળવંતસિંહ, શુખાજી ઠાકોરનું રાજીનામુંઆ ટ્રસ્ટી મંડળમાં પ્રથમ મિટિંગમાં જ જીતેન્દ્રભાઈ મોદીએ રાજીનામુ ધરી દીધું હતું ત
12:06 PM Jan 03, 2023 IST | Vipul Pandya
શક્તિપીઠ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં 23 ઓગસ્ટ 2022માં નવીન ટ્રસ્ટી મંડળની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી. આ વ્યવશ્થાપન કમિટીમાં રાજ્ય સરકાર દ્વારા બિનરાજકીય સભ્યો સાથે સાથે બીજેપી, RSS તેમજ પૂર્વ સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જીતેન્દ્રભાઈ મોદી, બળવંતસિંહ, શુખાજી ઠાકોરનું રાજીનામુંઆ ટ્રસ્ટી મંડળમાં પ્રથમ મિટિંગમાં જ જીતેન્દ્રભાઈ મોદીએ રાજીનામુ ધરી દીધું હતું ત
શક્તિપીઠ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં 23 ઓગસ્ટ 2022માં નવીન ટ્રસ્ટી મંડળની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી. આ વ્યવશ્થાપન કમિટીમાં રાજ્ય સરકાર દ્વારા બિનરાજકીય સભ્યો સાથે સાથે બીજેપી, RSS તેમજ પૂર્વ સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જીતેન્દ્રભાઈ મોદી, બળવંતસિંહ, શુખાજી ઠાકોરનું રાજીનામું
આ ટ્રસ્ટી મંડળમાં પ્રથમ મિટિંગમાં જ જીતેન્દ્રભાઈ મોદીએ રાજીનામુ ધરી દીધું હતું ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થતા બીજેપીના બે  ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત તેમજ શુખાજી ઠાકોરને ટિકિટ મળતા આ બંનેએ પણ રાજીનામાં આપ્યા હતા. હવે વાત એવી સામે આવી કે અન્ય ટ્રસ્ટીઓને સરકાર તરફથી બે થી ત્રણ દિવસમાં પહેલાજ ટેલિફોનિક સૂચના આપી કે તમામે રાજીનામાં લખી મોકલી આપવા.
અનેક અટકળો તેજ
આ સૂચનાને પગલે  બાકીના તમામ ટ્રસ્ટીઓએ સૂચનાનું પાલન કરી રાજીનામાં મોકલી આપ્યા છે ત્યારે 4 મહિના જેટલા ટૂંકા ગાળામાં રાજીનામાંનો દોર શરૂ થતાં અટકળો ફરતી થઈ છે. સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે એવું તો શું બન્યું કે ટ્રસ્ટી મંડળ વિખેરવાની ફરજ પડી? આ બાબતે ટ્રસ્ટી ઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ કોઈ કારણ થી અજાણ છે. હવે જોવાનું એ રહ્યું કે હવે નવું ટ્રસ્ટી મંડળ બને છે કે કેમ ? અને બને છે તો ક્યારે અને નવા કયા ચહેરાઓ ને ટ્રસ્ટી મંડળ માં સ્થાન મળે છે.
આ પણ વાંચો - બહુચરાજી સિવિલમાં ડોકટરનો પૂરતો સ્ટાફ નહીં મળતા દર્દીઓ પરેશાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BahucharajiMandirTrustGujaratFirstResignationTrustees
Next Article