ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિંગર કે.કેના મોતને લઈને થયો ખુલાસો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કારણ

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણો દર્શાવે છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. બુધવારે આ માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેકે મંગળવારે રાત્રે સંગીત કાર્યક્રમ પછી હોટલ પહોંચ્યા હતા અને અસ્વસ્થતા અનુભવ્યા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને 'મૃત' જાહેર કર્યા હતા. અહેવાલમ
06:57 PM Jun 01, 2022 IST | Vipul Pandya
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણો દર્શાવે છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. બુધવારે આ માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેકે મંગળવારે રાત્રે સંગીત કાર્યક્રમ પછી હોટલ પહોંચ્યા હતા અને અસ્વસ્થતા અનુભવ્યા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને 'મૃત' જાહેર કર્યા હતા. અહેવાલમ
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણો દર્શાવે છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. બુધવારે આ માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેકે મંગળવારે રાત્રે સંગીત કાર્યક્રમ પછી હોટલ પહોંચ્યા હતા અને અસ્વસ્થતા અનુભવ્યા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને "મૃત" જાહેર કર્યા હતા. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાયકને "લાંબા સમયથી હૃદયની સમસ્યાઓ" હતી.
"પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ગાયકનું મૃત્યુ હૃદયના સ્નાયુમાં લોહીના પ્રવાહમાં અવરોધને કારણે થયું હતું. તેમના મૃત્યુ પાછળ કોઈ કાવતરું નહોતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગાયકને ઘણા સમયથી હૃદયની તકલીફ હતી. અધિકારીઓએ તપાસના ભાગરૂપે હોટેલ સત્તાવાળાઓ સાથે વાત કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા.જણાવી દઈએ કે કેકેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગાયક કેકેને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા કોલકાતાની એક હોટલના કોરિડોરમાં ચાલતા જોઈ શકાય છે.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો છે
બીજી તરફ સિંગર કેકેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ મુંબઈ લાવવામાં આવ્યો છે. કેકેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે વર્સોવામાં તેમના સંકુલના હોલમાં રાખવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે 9 વાગ્યા પછી વર્સોવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેકેની અંતિમ યાત્રામાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ઘણા મોટા દિગ્ગજો સામેલ થઈ શકે છે.
Tags :
GujaratFirstKrishnakumarKunnathPostmortemReportSingerKK
Next Article