ઋષિ સુનક લડશે PM પદની ચૂંટણી,કહ્યું સુધારવા માંગુ છું બ્રિટનની ઇકોનોમી
બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે ફરી એકવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ બ્રિટનની અર્થવ્યવસ્થા સુધારવા માંગે છે, પાર્ટીને એક કરવા માંગે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે, તેથી ચૂંટણીમાં પીએમ બનવા માટે ઉભા છે.ટ્વિટર પર પોસ્ટ દ્વારા જણાવી મનની વાત ઋષિ સુનકે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પોતાની વાત જણાવી છે. તાજેતરની સામાન્ય ચૂંટણીઓà
Advertisement
બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે ફરી એકવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ બ્રિટનની અર્થવ્યવસ્થા સુધારવા માંગે છે, પાર્ટીને એક કરવા માંગે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે, તેથી ચૂંટણીમાં પીએમ બનવા માટે ઉભા છે.
ટ્વિટર પર પોસ્ટ દ્વારા જણાવી મનની વાત
ઋષિ સુનકે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પોતાની વાત જણાવી છે. તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં લિઝ ટ્રસ પછી સુનક બીજા નંબરના સૌથી વધુ મતો જીતનાર નેતા હતા. લિઝ ટ્રસ ટેક્સ સુધારાનું વચન આપીને સત્તામાં આવ્યા હતા, પરંતુ તેમના આર્થિક સુધારાના નિર્ણયોએ દેશના અર્થતંત્રને હચમચાવી નાખ્યું.અને લિઝ ટ્રસને પીએમ પદ પરથી રાજીનામું આપીને કિંમત ચૂકવવી પડી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુકેના બુકીઓએ ઋષિ સુનકના નામ પર સટ્ટો પણ લગાવ્યો છે.
સુનકે પોસ્ટમાં શું લખ્યું?
ઋષિ સુનકે ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે, "યુનાઇટેડ કિંગડમ એક મહાન દેશ છે પરંતુ આપણે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ.અમારી પાર્ટીની જે પસંદ છે ,તે હવે નક્કી કરશે કે બ્રિટિશ લોકોની આગામી પેઢી પાસે પહેલા કરતાં વધુ અવસરો હોય. એટલા માટે હું આગામી વડા પ્રધાન બનવા માટે ચૂંટણીમાં ઊભો છું. હું આપણી અર્થવ્યવસ્થાને ઠીક કરવા માંગુ છું, પાર્ટીને એક કરવા માંગુ છું અને દેશ માટે કંઈક કરવા માંગુ છું.
સુનકે આગળ લખ્યું, “મેં તમારા ચાન્સેલર તરીકે સેવા આપી, સૌથી મુશ્કેલ સમયમાં આપણી અર્થવ્યવસ્થાને ચલાવવામાં મદદ કરી.અત્યારે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે વિશાળ છે પરંતુ જો આપણે સાચા નિર્ણયો લઈશું તો તકો અભૂતપૂર્વ હશે. ,


