Russia Ukraine war ceasefire: વિશ્વને મળશે રાહત? જાણો India પર શું થશે અસર?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દાવો એવા સમયે કર્યો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો ચાલી રહી છે.
Advertisement
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાઈ ગયું ? અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેમ કર્યો સીઝફાયરનો દાવો. જાણીશું આજના એક્સપ્લેનમાં...રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દાવો એવા સમયે કર્યો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો ચાલી રહી છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તીવ્ર ઠંડી વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માનવતાવાદી ધોરણે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે કેબિનેટની બેઠક દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ પુતિનને વિનંતી કરી હતી કે તેઓ તીવ્ર ઠંડીના આ સમયગાળા દરમિયાન કિવ અને અન્ય શહેરો અને નગરો પર હુમલા એક અઠવાડિયા માટે મુલતવી રાખે..... જુઓ અહેવાલ....
Advertisement


