Mehsana: ચંદ્રોડા ગામે લગ્નપ્રસંગમાં મહંત બળદેવનાથજી મહારાજ પહોંચ્યા આર્શિવાદ આપવા
- Mehsana ના Bahucharaji ના ચંદ્રોડા ગામે કોમી એકતાના દ્રશ્યો
- ચંદ્રોડા ગામે સલીમભાઇ નાગોરીના ઘરે હતો લગ્નપ્રસંગ
- મહંત બળદેવનાથજી મહારાજ પહોંચ્યા આર્શિવાદ આપવા
- દેવ દરબાર મઠના મહંત છે બળદેવનાથજી મહારાજ
- મુસ્લિમ સમાજ દ્વારા મહંતશ્રીનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત
Mehsana: મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Bahucharaji) તાલુકાના ચંદ્રોડા ગામમાં (Chandroda Village) કોમી એકતાની એક અદ્ભુત તસવીર સામે આવી છે, જે ભારતીય સંસ્કૃતિના "વસુધૈવ કુટુંબકમ"ના ભાવને સાર્થક કરે છે. આ ગામમાં આશરે 95 ટકા મુસ્લિમ વસ્તી છે, જ્યાં મૂળ રાજસ્થાનથી આવેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વસે છે.આ ઘટના સલીમભાઈ નાગોરીના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં બની. દેવ દરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદી)ના મહંત બળદેવનાથજી મહારાજ લગ્નમાં આશીર્વાદ આપવા ખાસ પહોંચ્યા હતા. મુસ્લિમ સમાજે મહંતનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. તેમને બગીમાં બેસાડીને આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ગામલોકો ભાગ લીધો અને આનંદ મનાવ્યો હકો.આ પ્રસંગમાં હિન્દુ સંત પ્રત્યે મુસ્લિમ સમાજનો અદભૂત આદર અને સ્નેહ જોઈને આખું પંથક ભાવુક થઈ ગયું.


