ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

152 વર્ષ જૂનો 'રાજદ્રોહ કાયદો' શું છે ? જેમાં અત્યાર સુધીમાં માત્ર 9ને જ થઈ છે સજા

સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહ કાયદા પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. હવે જ્યાં સુધી કેન્દ્ર તેના પર વિચાર ન કરે ત્યાં સુધી આ કલમ હેઠળ કોઈ કેસ દાખલ કરી શકાશે નહીં. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ કાયદા હેઠળ કોઈ નવો કેસ ન દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે આરોપીઓ જેલમાં છે તેઓ જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. રાજદ્રોહના કાયદાને આંકડાઓના દૃષ્ટિકોણથી જોઈએ તો ઘણી બાબતો બહાà
11:39 AM May 11, 2022 IST | Vipul Pandya
સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહ કાયદા પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. હવે જ્યાં સુધી કેન્દ્ર તેના પર વિચાર ન કરે ત્યાં સુધી આ કલમ હેઠળ કોઈ કેસ દાખલ કરી શકાશે નહીં. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ કાયદા હેઠળ કોઈ નવો કેસ ન દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે આરોપીઓ જેલમાં છે તેઓ જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. રાજદ્રોહના કાયદાને આંકડાઓના દૃષ્ટિકોણથી જોઈએ તો ઘણી બાબતો બહાà

સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહ કાયદા
પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. હવે જ્યાં સુધી કેન્દ્ર તેના પર વિચાર ન કરે ત્યાં
સુધી આ કલમ હેઠળ કોઈ કેસ દાખલ કરી શકાશે નહીં. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને
આ કાયદા હેઠળ કોઈ નવો કેસ ન દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે આરોપીઓ જેલમાં
છે તેઓ જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. રાજદ્રોહના કાયદાને આંકડાઓના
દૃષ્ટિકોણથી જોઈએ તો ઘણી બાબતો બહાર આવે છે. મહત્વની વાત એ છે કે આ કાયદા હેઠળ ઘણા
બધા કેસ નોંધાયા છે પરંતુ દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો છે.


શું છે રાજદ્રોહ કાયદો?

તમને જણાવી દઈએ કે રાજદ્રોહ કાયદાનો
ઉલ્લેખ ભારતીય દંડ સંહિતાની કલમ
124Aમાં છે. આ કાયદા
અનુસાર
જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ કોઈ અન્ય સામગ્રી લખે છે, બોલે છે અથવા તેનો
ઉપયોગ કરે છે અથવા તો જે દેશને નીચે દેખાડવાનો પ્રયાસ કરે છે અથવા તો દેશ વિરૂદ્ધ
કંઈ કરે છે તો તેની વિરુદ્ધ
IPCની કલમ 124A હેઠળ કેસ નોંધવામાં
આવી શકે છે. આ સિવાય અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ રાજદ્રોહ
હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. દેશમાં લાંબા સમયથી આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.
વિરોધ કરનારાઓની દલીલ છે કે આ કાયદો અંગ્રેજોના સમયમાં બન્યો છે. આ કાયદો
1870માં બ્રિટિશ શાસનમાં
જ બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી આ કાયદાનો ઉપયોગ એવા લોકો પર કરવામાં આવ્યો કે
જેઓએ બ્રિટિશ શાસન સામે બળવો કર્યો અને વિરોધ કર્યો. ત્યારબાદ આ કાયદા હેઠળ ઘણા લોકોને
આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
11 મેના રોજ સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ
અધિનિયમ પર સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેના હેઠળ એફઆઈઆર નોંધવાથી
દૂર રહેવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદા પર
પુનર્વિચાર કરવો જોઈએ.


2014 થી 2020 દરમિયાન રાજદ્રોહ કાયદા હેઠળ નોંધાયેલા કેસોના ડેટા પરથી જાણવા
મળ્યું છે કે સાત વર્ષમાં
399 કેસ નોંધાયા હતા. તેમાંથી 169માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જ્યારે માત્ર
9 લોકોને સજા થઈ હતી. 399માંથી માત્ર 69 કેસમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ હતી.


2014માં 47 કેસ નોંધાયા, 14 કેસમાં ચાર્જશીટ
દાખલ
, એક વ્યક્તિને સજા થઈ

2015માં 30 કેસ નોંધાયા, 6 કેસમાં
ચાર્જશીટ દાખલ, કોઈ સજા નહીં

2016માં 35 કેસ નોંધાયા, 16 કેસમાં
ચાર્જશીટ દાખલ, એકને સજા થઈ

2017માં 51 કેસ નોંધાયા, 27 કેસમાં
ચાર્જશીટ દાખલ, એક વ્યક્તિને સજા

2018માં 70 કેસ નોંધાયા, 38 કેસમાં
ચાર્જશીટ દાખલ, 2 લોકોને સજા થઈ

2019માં 91 કેસ નોંધાયા, 40 કેસમાં
ચાર્જશીટ દાખલ, એકને સજા થઈ

2020માં 70 કેસ નોંધાયા, 28 કેસમાં
ચાર્જશીટ દાખલ, 3 લોકોને સજા થઈ


દેશમાં સૌપ્રથમ વખત વર્ષ 1891 માં બંગાળના એક પત્રકાર જોગેન્દ્ર ચંદ્ર બોઝ
પર રાજદ્રોહ લાદવામાં આવ્યો હતો. તેઓ બ્રિટિશ સરકારની આર્થિક નીતિઓ અને બાળ લગ્ન
વિરુદ્ધ બનેલા કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી વર્ષ
1897માં મહાન સ્વાતંત્ર્ય
સેનાની બાલ ગંગાધર તિલક વિરુદ્ધ પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય
ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પર રાજદ્રોહનો આરોપ હતો અને આ કાયદો લાગુ કરવામાં આવ્યો
હતો. બ્રિટિશ સરકારે આ કાયદાનો ઉપયોગ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ પણ કર્યો
હતો.

Tags :
GujaratFirstIndianLawSeditionActSuprimeCourttreason
Next Article