Vadnagar Damru Yatra : શ્રાવણના પ્રથમ દિવસે વડનગરમાં ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ
Vadnagar Damru Yatra : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક નગરી વડનગર ખાતે ભવ્ય શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી એક ભવ્ય પદયાત્રા યોજાઈ હતી.
Advertisement
Vadnagar Damru Yatra : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક નગરી વડનગર ખાતે ભવ્ય શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી એક ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન યાત્રામાં 108 કલાકારોના ડમરૂના નાદથી સમગ્ર પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી. ભક્તિમય માહોલમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાના અંતે નાયબ મુખ્યમંત્રીએ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી....જુઓ અહેવાલ....

