Somnath Swabhiman Parv: મુખ્યમંત્રી ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઉજવણીમાં હાજર રહ્યા
Somnath swabhiman parv: હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર (Somnath Temple) પર મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ અને પુનઃ નિર્માણના 75 વર્ષ થાય છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે રાજ્યભરના શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 8થી 11 જાન્યુઆરી દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે. જે અંતર્ગત ગાંધીનગરમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી
ગાંધીનગરના ધોલેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા. ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ પર આક્રમણ થયા છે. અને આપણી આસ્થા નું પ્રતિક સમા સોમનાથ દાદાનું મંદીર ઉભું છે આની ઉજવણી સાથે મળી કરી છે. વધુમાં તેમણે શું કહ્યું જુઓ વીડિયો...
આ પણ વાંચો:Ambaji: અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન રેકોર્ડબ્રેક આવક, ભક્તોએ છલકાવ્યો દાનનો દરિયો


