Somnath Swabhiman Parv: સોમનાથને દુલ્હન જેમ રંગબેરંગી લાઇટોથી સજાવાયું
હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર (Somnath Temple) પર મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે રાજ્યભરના શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં સોમનાથ શૌર્યગાથા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ શરુ થઈ ગઈ છે.સોમનાથને દુલ્હન જેમ રંગબેરંગી લાઇટોથી સજાવાયું છે.
Advertisement
Somnath swabhiman parv: ગીર સોમનાથમાં સોમનાથ શૌર્યગાથા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ શરુ થઈ ગઈ છે.સોમનાથને દુલ્હન જેમ રંગબેરંગી લાઇટોથી સજાવાયું છે. જેથી પ્રધાનમંત્રીના આગમન પહેલાં સોમનાથનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યોછે. મુખ્ય રસ્તાઓ અને દીવાલો પર લાઇટિંગ-પેઇન્ટિંગથી રોનક છવાઈ છે. ઋષિકુમારો દ્વારા ઓમકાર નામ જાપથી ઉજવણીનો પ્રારંભ થયો છે. 5 હજાર ઋષિકુમારો ત્રણ દિવસ ઓમકાર જાપ કરશે ત્યારે વડોદરા પાઠશાળાના ઋષિકુમારો સોમનાથ પહોંચ્યા છે. જૂનાગઢ-રાજકોટની મહિલા મંડળીઓએ શિવધૂન શરૂ કરી છે. ગુજરાતભરમાંથી લોકો સોમનાથ ઉમટી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ સોમનાથની ભવ્યતા જોઈ ભાવવિભોર થયા છે.
Advertisement


