ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન Spicejet ફ્લાઇટનું ટાયર ફાટ્યું

સ્પાઈસ જેટ બોઈંગ 737-800 એરક્રાફ્ટનું ટાયર સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફાટ્યું હતું. જોકે, આ દરમિયાન કોઈ દુર્ઘટના થઈ નથી અને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. અકસ્માત બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય બે ફ્લાઈટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. રનવે પર બધુ બરોબર જણાયા બાદ તેને ફરીથી એરક્રાફ્ટ માટે ખોલવામાં આવ્યો હતો.દિલ્હીથી સવારે 7:30 વà
03:09 AM Aug 30, 2022 IST | Vipul Pandya
સ્પાઈસ જેટ બોઈંગ 737-800 એરક્રાફ્ટનું ટાયર સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફાટ્યું હતું. જોકે, આ દરમિયાન કોઈ દુર્ઘટના થઈ નથી અને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. અકસ્માત બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય બે ફ્લાઈટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. રનવે પર બધુ બરોબર જણાયા બાદ તેને ફરીથી એરક્રાફ્ટ માટે ખોલવામાં આવ્યો હતો.દિલ્હીથી સવારે 7:30 વà
સ્પાઈસ જેટ બોઈંગ 737-800 એરક્રાફ્ટનું ટાયર સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફાટ્યું હતું. જોકે, આ દરમિયાન કોઈ દુર્ઘટના થઈ નથી અને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. અકસ્માત બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય બે ફ્લાઈટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. રનવે પર બધુ બરોબર જણાયા બાદ તેને ફરીથી એરક્રાફ્ટ માટે ખોલવામાં આવ્યો હતો.
દિલ્હીથી સવારે 7:30 વાગ્યે ફ્લાઈટ SG-8701 એ ઉડાન ભરી અને લગભગ 9 વાગ્યે મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવે 27 પર ઉતર્યું. વિમાનનું ટાયર ફાટવાની જાણ થતાં જ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે ઈન્સ્પેક્શન માટે થોડા સમય બંધ કરવો પડ્યો હતો. જેના કારણે બે ફ્લાઈટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. આ ઘટના વિશે બોલતા સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે, પ્લેન રનવે પર સુરક્ષિત રીતે ઉતરી ગયું. ઉતરાણ વખતે, રનવે સાફ કર્યા પછી, એક ટાયર ખામીયુક્ત હોવાનું જણાયું હતું. એરક્રાફ્ટને સલાહ મુજબ નિયુક્ત જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ દરમિયાન કેપ્ટન તરફથી કોઈ અસાધારણતા અનુભવાઈ ન હતી. મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતર્યા હતા.

દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વધુ બે B737 એરક્રાફ્ટના રજીસ્ટ્રેશનને રદ કરે તેવી શક્યતા છે જે હાલમાં રોકડની તંગીવાળા સ્પાઇસજેટ સાથે કાર્યરત છે. વળી, સ્પાઇસજેટ અન્ય એરલાઇન કંપનીઓ અને બહારના પક્ષો પાસેથી રોકાણ મેળવવાની શક્યતાઓ શોધી રહી છે. આ ઉપરાંત, એરલાઇન તેના કાફલામાં વધુ સાત બોઇંગ એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે. સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે મંગળવારે આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો - ભારતના તેજસ ફાઇટર જેટની દુનિયામાં ડિમાન્ડ વધી, આ દેશ પણ ખરીદવા ઈચ્છે છે
Tags :
EmergencylandingflightGujaratFirstMUMBAISpicejetTtireBurst
Next Article