Studio On Wheels: દાંતા સ્ટેટના રાજા સાહેબે કર્યા અનેક ખુલાસા, કહ્યું-"હિંદુ સનાતન સંસ્કૃતિ બચાવવા ચૂંટણી લડીશું"
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat first) વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે દાંતા સ્ટેટના રાજા મહારાજ સાહેબ પરમવીરસિંહ પરમારજી સાથે એક વિશેષ સંવાદ કર્યો હતો. આ વાતચીતમાં રાજા સાહેબે તેમના વંશના ઇતિહાસ, આધ્યાત્મિક વારસા, અંબાજી મંદિર સાથેના જોડાણ અને વર્તમાન રાજકીય-સામાજિક મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. રાજા સાહેબ પરમવીરસિંહ પરમારજીએ વાતચીતમાં વંશની ઉત્પત્તિ વિશે વિસ્તારથી વર્ણન કર્યું તેમજ આ વાતચીતમાં અંબાજી મંદિરના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે રાજા સાહેબે મુઘલ કાળની રસપ્રદ વાર્તાઓ પણ શેર કરી. રાજા પરમવીરસિંહ પરમારજીએ તેમના વ્યક્તિગત જીવન વિશે અને વર્તમાન રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "રાજનીતિમાં છીએ, પાર્ટી કહેશે તો ચૂંટણીમાં ઉતરીશું. હિંદૂ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે ચૂંટણી લડીશું." વધુમાં તેમણે શું કહ્યું જુઓ વીડિયો...


