Studio on Wheels: Palitana ના જૈન અગ્રણી શ્રી Alpeshbhai Sanghavi સાથે JD Gujarati નો ખાસ સંવાદ
Studio on Wheels: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં આવેલું પાલીતાણા (Palitana) માત્ર જૈન સમુદાય માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું એક અદભૂત કેન્દ્ર છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત જૈન અગ્રણી અલ્પેશભાઈ સંઘવી (Alpeshbhai Sanghavi) સાથે થયેલા ખાસ સંવાદમાં પાલીતાણાના ભવ્ય વારસા અને છેલ્લા આઠ વર્ષમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની (Development) ચર્ચા કરવામાં આવી હતી. પાલીતાણાને 'સિદ્ધાચલ' અને 'શત્રુંજય' (Shatrunjaya) તીર્થ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંના કણ-કણમાં ભગવાનનો વાસ હોવાની માન્યતા છે. આ પવિત્ર ભૂમિ પર દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ (Pilgrims) દર્શનાર્થે આવે છે, જેનાથી આ વિસ્તારના આધ્યાત્મિક અને આર્થિક પાસાઓને નવો વેગ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાલીતાણામાં માળખાગત સુવિધાઓમાં (Infrastructure) મોટો સુધારો જોવા મળ્યો છે...વધુ માહિતી માટે જુઓ આ અહેવાલ...


