Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Gadhada Gopinath Mandir ના S.P. Swami સાથે ધર્મ અને આસ્થા પર ખાસ સંવાદ

'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) માં ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી. સ્વામી (S.P. Swami) સાથે ખાસ સંવાદ કરાયો. સ્ટુડિયો ઓન વ્હીલ્સ ટીમે સ્વામી સાથે કરેલા સંવાદમાં ધર્મ અને આસ્થાના મનોમંથન પર મહત્વની ચર્ચા કરી.
Advertisement

Studio on Wheels : ગઢડાની પવિત્ર ભૂમિ, જે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ (Workplace) ગણાય છે, ત્યાંથી 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા એક અનોખો અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. આ ખાસ સંવાદમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ વહીવટકર્તા એસ.પી. સ્વામીએ ધર્મ, સંપ્રદાય અને સનાતન સંસ્કૃતિના ગૂઢ રહસ્યો પર પ્રકાશ પાડ્યો છે. સ્વામીના મતે, ધર્મ એ માત્ર ભાષણની બાબત નથી, પરંતુ તે આચરણ (Practice) માં ઉતરવો જોઈએ. ગઢડાના મંદિરની ગાથાથી લઈને આધુનિક સમયમાં ધર્મ રક્ષાના પડકારો સુધીની તમામ વિગતો આ લેખમાં સમાવિષ્ટ છે. ગઢડા ગોપીનાથજી મંદિરનો ઇતિહાસ અત્યંત ભવ્ય છે. ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પરના પોતાના 49 વર્ષના આયુષ્યમાંથી 29 વર્ષ ગઢડામાં વિતાવ્યા હતા. સ્વામીએ જણાવ્યું કે આ ભૂમિ ભગવાનની કર્મભૂમિ હોવાની સાથે તેમનું ઘર (Home) પણ છે. રસપ્રદ વાત એ છે કે, 5000 વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ જ જગ્યાએ વિસામો લીધો હતો અને ભવિષ્યવાણી કરી હતી કે અહીં તેમના સ્વરૂપની સ્થાપના થશે. પાછળથી ભગવાન સ્વામિનારાયણે આ જ સ્થાને પોતાના શરીરના માપની ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી હતી....વધુ માહિતી માટે જુઓ આ અહેવાલ..

Tags :
Advertisement

.

×