Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં સુખરામદાસ બાપુ, વિરોધીઓ પર આકરા પ્રહાર
Rajkot : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુખરામદાસ બાપુ (Sukhramdas Bapu) ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યા છે. બાપુએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા (Jayant Pandya) અને ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધ કરનારાઓ સામે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
Advertisement
Rajkot : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુખરામદાસ બાપુ (Sukhramdas Bapu) ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યા છે. બાપુએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા (Jayant Pandya) અને ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધ કરનારાઓ સામે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મના પ્રચારક અને રક્ષક છે અને તેમના કાર્યને રોકવાનો પ્રયાસ યોગ્ય નથી. સુખરામદાસ બાપુએ જયંત પંડ્યા પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે “તમે ખરેખર હિન્દુ છો કે નહીં તેમાં જ શંકા થાય છે.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટ આવતા કોઈ રોકી શકશે નહીં અને સનાતન ધર્મના પ્રચાર માટે તેઓ સતત કાર્ય કરતા રહેશે. આ નિવેદન બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
Advertisement


