Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. Patil નું પ્રેરણાદાયી પગલું, સફાઈકર્મીઓ સાથે કરી દિવાળીની ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સ્વચ્છતા દૂતો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.
09:29 PM Oct 09, 2025 IST
|
Vipul Sen
Surat : દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં દિવાળીનાં (Diwali Festival 2025) શુભ પ્રસંગને ધ્યાનમાં રાખીને હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતા એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR patil) દ્વારા તેમનાં સુરત ખાતેનાં નિવાસસ્થાને સ્વચ્છતા દૂતો માટે ભોજનનું ખાસ આયોજન કરાયું હતું, જેમાં સુરત શહેરને સ્વચ્છ રાખનાર મહિલાઓ સહિતનાં સફાઇકર્મીઓએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સ્વચ્છતા દૂતો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.
Next Article