રાજકોટથી કાગવડ સુધી સ્વદેશીનો સૂર! સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ખોડલધામ પદયાત્રાનો પ્રારંભ
- રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રા યાત્રાનું આયોજન
- સરદાર પટેલની 150મી જયંતિને લઈ યોજાઈ પદયાત્રા
- ગુરુકુળના બાળકો રાષ્ટ્રધ્વજ સાથે ઉભેલા જોવા મળ્યા
- રાજકોટથી આજે પ્રસ્થાન કરી 28મીએ કાગવડ પહોંચશે
- સ્વદેશીના સંદેશ સાથે પદયાત્રા ખોડલધામ પહોંચશે
- ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવ્યું આયોજન
- યાત્રામાં 'સ્વદેશી અપનાવો' સંદેશો લોકો સુધી પહોંચાડાશે
Rajkot : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ (કાગવડ) સુધીની એક પદયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં મુખ્યત્વે 'સ્વદેશી અપનાવો'નો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો ઉમદા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
સ્વદેશીના સંદેશ સાથે પદયાત્રા ખોડલધામ પહોંચશે
આજે રાજકોટથી પ્રસ્થાન થયેલી આ પદયાત્રામાં સ્વામિનારાયણ ગુરુકુળના ભૂલકાઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયેલા જોવા મળ્યા હતા, જે દ્રશ્યએ રાષ્ટ્રપ્રેમની અનોખી આભા સર્જી હતી. રાજકોટથી નીકળેલી આ પદયાત્રા વિવિધ ગામોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતિ ફેલાવીને આગામી 28મી ડિસેમ્બરના રોજ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે પહોંચશે. રાષ્ટ્ર નિર્માણ અને સ્વાવલંબનના વિચાર સાથે જોડાયેલી આ પદયાત્રા સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો : Rajkot : CGSTના સાયલન્ટ ઓપરેશનથી 300 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું


