ગરીબો માટે બજેટ સૌથી મોટી રાહત લઇને આવ્યું, મફત અનાજની યોજનાને 1 વર્ષ સુધી લંબાવવામાં આવી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ. નવા બજેટમાં ગરીબોને મોટી રાહત આપવામાં આવી છે, અને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે. એટલે કે ગરીબોને આગામી 1 વર્ષ માટે મફત અનાજનો લાભ મળશે શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કોરોનાકાળ દરમિયાન કોઇને ભૂખ્યા ન સુવુ પડે તે માટે મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ à
08:04 AM Feb 01, 2023 IST
|
Vipul Pandya
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ. નવા બજેટમાં ગરીબોને મોટી રાહત આપવામાં આવી છે, અને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે. એટલે કે ગરીબોને આગામી 1 વર્ષ માટે મફત અનાજનો લાભ મળશે
શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
કોરોનાકાળ દરમિયાન કોઇને ભૂખ્યા ન સુવુ પડે તે માટે મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. જેમાં ગરીબ કે જરૂરિયાતમંદને 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને મફત અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2022માં આ યોજના બંધ કરવામાં આવનાર હતી પરંતુ બાદમાં સરકારે યોજનાને લંબાવી દીધી હતી.
કઇ વસ્તુ મોંઘી, કઇ સસ્તી ?
આ ઉપરાંત બજેટમાં જે જાહેરાતો થઇ તે અનુસાર સિગારેટ મોંઘી થશે, સોનુ, ચાંદી અને પ્લેટિનમ મોંઘા થશે, વિદેશથી આવનારી ચાંદીની ચીજો મોંઘી થશે, કેટલાક મોબાઇલ ફોન અને કેમેરાના લેન્સ સસ્તા થશે, ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે ,રમકડા, સાયકલ અને ઓટોમોબાઇલ પણ સસ્તા થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article