ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

15 નિવૃત્ત ન્યાયાધીશો, 77અધિકારીઓ અને 25 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ સુપ્રીમ કોર્ટને લખ્યો ખુલ્લો પત્ર

વિવાદાસ્પદ બાબતો સંબંધિત નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. નૂપુર કેસની સુનાવણી મામલે એક ખુલ્લા નિવેદનમાં 'સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી', છે. 15 નિવૃત્ત ન્યાયાધીશો અને 77 અધિકારીઓએ આ સૂચિત કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવાયું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનોની કોઈ મિસાલ નથી.ટિપ્પણીઓને દ
09:30 AM Jul 05, 2022 IST | Vipul Pandya
વિવાદાસ્પદ બાબતો સંબંધિત નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. નૂપુર કેસની સુનાવણી મામલે એક ખુલ્લા નિવેદનમાં 'સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી', છે. 15 નિવૃત્ત ન્યાયાધીશો અને 77 અધિકારીઓએ આ સૂચિત કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવાયું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનોની કોઈ મિસાલ નથી.ટિપ્પણીઓને દ
વિવાદાસ્પદ બાબતો સંબંધિત નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. નૂપુર કેસની સુનાવણી મામલે એક ખુલ્લા નિવેદનમાં 'સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી', છે. 15 નિવૃત્ત ન્યાયાધીશો અને 77 અધિકારીઓએ આ સૂચિત કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવાયું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનોની કોઈ મિસાલ નથી.

ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી 
મંગળવારે દેશના 15 નિવૃત્ત ન્યાયાધીશો, 77 અમલદારો અને 25 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ખુલ્લા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનની કોઈ મિસાલ નથી. આ ખુલ્લો પત્ર જમ્મુ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય ફોરમ, J&K અને લદ્દાખ દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં માંગણી કરવામાં આવી છે કે જસ્ટિસ સૂર્યકાન્ત દ્વારા કરાયેલ ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટના રોસ્ટરમાંથી હટાવવી જોઈએ. તેમને નૂપુર શર્મા કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ પાછી ખેંચવા માટે કહેવું જોઇએ.
સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખાને વટાવી
એક ખુલ્લા પત્રમાં નિવૃત્ત ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓએ કહ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખાને વટાવી દીધી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયતંત્રના ઈતિહાસમાં આવી કમનસીબ ટિપ્પણીની કોઈ મિસાલ નથી. સૌથી મોટી લોકશાહીની ન્યાય પ્રણાલી પર આ એક અમીટ નિશાન છે. આમાં સુધારાત્મક પગલાં લેવા જોઈએ કારણ કે તેના લોકતાંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર પરિણામો આવી શકે છે.

ન્યાયિક જાહેર પ્રથાઓ વિરુદ્ધની ટિપ્પણીઓ 
ભૂતપૂર્વ ન્યાયાધીશો, અધિકારીઓ અને લશ્કરી અધિકારીઓએ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતના અવલોકનો ન્યાયિક આદેશનો ભાગ નથી, પરંતુ તેમના દ્વારા ન્યાયિક ઔચિત્ય અને નિષ્પક્ષતાને અસર થવી જોઈએ નહીં. આ પત્ર પર ઘણી હસ્તીઓની સહી છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસએમ સોની, રાજસ્થાન હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો આરએસ રાઠોડ અને પ્રશાંત અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસએન ઢીંગરાનો સમાવેશ થાય છે. આ સિવાય ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરએસ ગોપાલન અને એસ કૃષ્ણ કુમાર, નિવૃત્ત રાજદૂત નિરંજન દેસાઈ, ભૂતપૂર્વ ડીજીપી એસપી વેદ અને બીએલ વોહરા, લેફ્ટનન્ટ જનરલ વીકે ચતુર્વેદી (નિવૃત્ત) અને એર માર્શલ (નિવૃત્ત) એસપી સિંહે પણ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.
તમને જણાવી દઈએ કે, 1 જુલાઈના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આકરી ઝાટકણી કાઢી હતી. શર્માના વાંધાજનક નિવેદનને લઈને દેશમાં ખળભળાટ માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. નૂપુરને ટીવી પર આવીને માફી માંગવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમના નિવેદનથી દેશમાં હિંસા ભડકી છે. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે એકલા જ જવાબદાર છે. આ અવલોકનો સાથે, સર્વોચ્ચ અદાલતે નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની અને અહીં સુનાવણી કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. નૂપુરે પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી.
 
Tags :
GujaratFirstJudiciaryNoopurShrmasupremecourtsupremecourtLatter
Next Article