ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભ્રષ્ટાચારની ગગનચુંબી ઈમારતનો અંત, ટ્વીન ટાવરના ગુનેગારો કોણ છે, બિલ્ડરની આવી હતી 'ગેમ'

નોઇડા સેક્ટર 93માં બનેલી એમરાલ્ડ કોર્ટ બિલ્ડીંગ આજે 28 ઓગસ્ટ 2022 બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. લગભગ 800 કરોડની આ ઈમારત ક્યારે, કેમ અને કેવી રીતે ધૂળમાં ભળી જશે અને શું છે તેની સાથે જોડાયેલો સમગ્ર વિવાદ, જાણો આ 10 સવાલોના જવાબમાં. 23 નવેમ્બર 2004ના રોજ નોઈડા ઓથોરિટીએ સુપરટેક એમરાલ્ડ કોર્ટ માટે જમીન ફાળવી હતી. જેમાં સુપરટેક બિલ્ડરને કુલ 84,273 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી અને તેની લીઝ ડીડ
07:10 AM Aug 28, 2022 IST | Vipul Pandya
નોઇડા સેક્ટર 93માં બનેલી એમરાલ્ડ કોર્ટ બિલ્ડીંગ આજે 28 ઓગસ્ટ 2022 બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. લગભગ 800 કરોડની આ ઈમારત ક્યારે, કેમ અને કેવી રીતે ધૂળમાં ભળી જશે અને શું છે તેની સાથે જોડાયેલો સમગ્ર વિવાદ, જાણો આ 10 સવાલોના જવાબમાં. 23 નવેમ્બર 2004ના રોજ નોઈડા ઓથોરિટીએ સુપરટેક એમરાલ્ડ કોર્ટ માટે જમીન ફાળવી હતી. જેમાં સુપરટેક બિલ્ડરને કુલ 84,273 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી અને તેની લીઝ ડીડ
નોઇડા સેક્ટર 93માં બનેલી એમરાલ્ડ કોર્ટ બિલ્ડીંગ આજે 28 ઓગસ્ટ 2022 બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. લગભગ 800 કરોડની આ ઈમારત ક્યારે, કેમ અને કેવી રીતે ધૂળમાં ભળી જશે અને શું છે તેની સાથે જોડાયેલો સમગ્ર વિવાદ, જાણો આ 10 સવાલોના જવાબમાં. 
23 નવેમ્બર 2004ના રોજ નોઈડા ઓથોરિટીએ સુપરટેક એમરાલ્ડ કોર્ટ માટે જમીન ફાળવી હતી. જેમાં સુપરટેક બિલ્ડરને કુલ 84,273 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી અને તેની લીઝ ડીડ 16 માર્ચ 2005ના રોજ કરવામાં આવી હતી. તે દરમિયાન જમીનની માપણીમાં બેદરકારીના કારણે અનેક વખત જમીનમાં વધારો કે ઘટાડો થયો હતો. જેના કારણે પ્લોટ નંબર 4માં ફાળવેલ જમીનની નજીક 6556.61 ચોરસ મીટર જમીનનો ટુકડો નીકળ્યો હતો જે બિલ્ડરે પોતાના નામે કરી દીધો હતો. આ માટે 21 જૂન 2006ના રોજ લીઝ ડીડ કરવામાં આવી હતી. જો કે, આ બે અલગ-અલગ પ્લોટનો નકશો પાસ થયા બાદ એક પ્લોટ બનાવવામાં આવ્યો હતો, જેના આધારે સુપરટેકે એમેરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
1. ટ્વીન ટાવરના બાંધકામને લઈને શું છે વિવાદ?
ટ્વીન ટાવરનું બાંધકામ એ એમરાલ્ડ કોર્ટના ખરીદદારો માટે એક મોટી છેતરપિંડી હતી, તેથી હવે તેના તોડવાની પ્રક્રિયા તેમના માટે ઓછી મુશ્કેલીજનક નથી. તોડી પાડવાની પ્રક્રિયા દરમિયાન ઘરોને સંભવિત નુકસાનથી લઈને વિસ્ફોટથી ધૂળ સુધી, દરેક પગલું રહેવાસીઓ માટે ભયના પડછાયામાં જીવવા જેવું છે. દેશમાં પ્રથમ વખત કોઇ આટલી ઊંચી ઇમારત તોડી પાડવામાં આવશે. આ ગગનચુંબી ઈમારત નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી ન હતી. એમેરાલ્ડ કોર્ટના ખરીદદારોએ આ ઈમારત બનાવનાર સુપરટેક બિલ્ડર સામે પોતાના ખર્ચે લાંબી લડાઈ લડી હતી. આ પછી કોર્ટે ટ્વીન ટાવરને તોડી પાડવાનો ચુકાદો આપ્યો હતો.
2. ઈમારતની ઉંચાઈ શા માટે વારંવાર વધી રહી હતી?
નકશા અનુસાર આજે જ્યાં 32 માળના ટ્વીન ટાવર ઉભા છે તે જગ્યાને ગ્રીન પાર્ક બતાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં બિલ્ડરે 11 માળના 16 ટાવર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. 2008-09માં, આ પ્રોજેક્ટને નોઈડા ઓથોરિટી તરફથી પૂર્ણતાનું પ્રમાણપત્ર પણ મળ્યું હતું. પરંતુ આ દરમિયાન, 28 ફેબ્રુઆરી 2009ના રોજ, ઉત્તર પ્રદેશ સરકારના નવા નિયમને કારણે, બિલ્ડરોને વધુ ફ્લેટ બનાવવાની સ્વતંત્રતા મળી. આ પછી, સુપરટેક ગ્રુપને પણ આ બિલ્ડિંગની ઊંચાઈ 24 માળ અને 73 મીટર સુધી વધારવાની મંજૂરી મળી. પરંતુ આ પછી ત્રીજી વખત જ્યારે સુપરટેકને રિવાઇઝ્ડ પ્લાનમાં બિલ્ડિંગની ઊંચાઈ 40 અને 39 માળની તેમજ 121 મીટર કરવાની મંજૂરી મળી ત્યારે ઘર ખરીદનારાઓની ધીરજ તૂટી ગઈ હતી.

3. ઘર ખરીદનારાઓએ શા માટે વિરોધ કર્યો?
આરડબ્લ્યુએએ બિલ્ડર સાથે વાત કરી નકશો બતાવવાની માંગણી કરી હતી. પરંતુ ખરીદદારોની માંગ છતાં બિલ્ડરે લોકોને નકશો બતાવ્યો ન હતો. ત્યારપછી આરડબ્લ્યુએ નોઈડા ઓથોરિટીને નકશો આપવાની માંગ કરી. અહીં પણ ખરીદદારોને કોઈ મદદ મળી નથી. કાયદાકીય લડાઈમાં સામેલ પ્રોજેક્ટના રહેવાસી યુબીએસ તેવટિયા કહે છે કે નોઈડા ઓથોરિટીએ બિલ્ડરની સાથે મળીને જ આ ટાવર બનાવવાની મંજૂરી આપી હતી. તેઓનો આરોપ છે કે નોઈડા ઓથોરિટીએ નકશો માંગવા પર કહ્યું કે તે બિલ્ડરને નકશો બતાવવાનું કહેશે, જ્યારે કોઈપણ બાંધકામ સાઇટ માટે નકશો હોવો ફરજિયાત છે. તેમ છતાં ખરીદદારોને પ્રોજેક્ટનો નકશો બતાવવામાં આવ્યો ન હતો. ખરીદદારોના વધતા વિરોધ પછી, સુપરટેકે તેને એક અલગ પ્રોજેક્ટ ગણાવ્યો.
4. શા માટે ટાવર બનાવવા ગેરકાયદે છે?
ટાવર્સની ઊંચાઈ વધવાથી બે ટાવર વચ્ચેનું અંતર વધે છે. ફાયર ઓફિસરે પોતે કહ્યું હતું કે શિખર અને સિઆન ટાવર વચ્ચેનું લઘુત્તમ અંતર 16 મીટર હોવું જોઈએ. પરંતુ એમરાલ્ડ કોર્ટના ટાવર એક બીજાથી માત્ર 9 મીટર દૂર છે. જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે ઈમારત માત્ર 13 માળની હતી. કોર્ટના આદેશ પહેલા કામ પૂર્ણ કરવાના આશયથી બિલ્ડરે બમણી ઝડપે કામ શરૂ કર્યું અને માત્ર દોઢ વર્ષમાં 32 માળનું બાંધકામ પૂર્ણ કર્યું. આ પછી કોર્ટનો આદેશ આવ્યો અને કામ બંધ થઈ ગયું. જાણકારોના મતે જો ટાવર 24 માળે અટકી ગયા હોત તો 2 ટાવર વચ્ચેના અંતરનો નિયમ ટાળી શકાયો હોત અને આ મામલો ઉકેલી શકાયો હોત.
5. આખો મામલો કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
કોઈ રસ્તો ન જોઈને, 2012 માં બાયર્સે અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું. કોર્ટના આદેશથી પોલીસ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસ તપાસમાં બાયર્સનો દૃષ્ટિકોણ સાચો હોવાનું જણાયું હતું. તેવટિયા કહે છે કે આ તપાસ રિપોર્ટ પણ દબાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન ખરીદદારો સત્તામંડળના ચક્કર લગાવતા રહ્યા પરંતુ ત્યાંથી નકશો મળ્યો ન હતો. આ દરમિયાન, ઓથોરિટીએ આ હેતુ માટે બિલ્ડરને નોટિસ ફટકારી હતી, પરંતુ ખરીદદારોને ક્યારેય બિલ્ડર અથવા સત્તાધિકારી પાસેથી નકશો મળ્યો ન હતો.

6. કોર્ટે શું નિર્ણય લીધો?
કોર્ટે સ્વીકાર્યું કે ઘર ખરીદનારાઓની તમામ દલીલો સાચી છે. ગગનચૂંબી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે. ટાવર્સની ઊંચાઈ નિયત નિયમ કરતાં વધુ વધારવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ ટાવરોને કાયદાકીય દેખરેખ હેઠળ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આનો ખર્ચ પણ બિલ્ડર્સ દ્વારા જ ઉઠાવવો પડશે.

7. ટાવર ક્યારે અને કેવી રીતે તોડી પાડવામાં આવશે?
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ ટાવર પહેલા 21 ઓગસ્ટના રોજ તોડી પાડવાના હતા, પરંતુ નોઈડા ઓથોરિટીની વિનંતી બાદ તેની તારીખ બદલીને 28 ઓગસ્ટ કરવામાં આવી હતી. આ ઈમારતને આજે 28 ઓગસ્ટે બપોરે 2.30 કલાકે નિયંત્રિત બ્લાસ્ટિંગની મદદથી તોડી પાડવામાં આવશે.
8. ઈમારતને તોડી પાડવા માટે કેટલો ખર્ચ થશે?
ટ્વીન ટાવરને તોડવા માટે લગભગ 17.55 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચ પણ બિલ્ડર પાસેથી જ વસૂલ કરવામાં આવશે. જણાવી દઈએ કે બંને ટાવરના નિર્માણમાં બિલ્ડરે લગભગ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો કે તેનું વેલ્યુએશન વધીને 800 કરોડ થઈ ગયું છે.

9. ઈમારતો કોણ તોડી પાડશે?
બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી એડીફીસ કંપનીને સોંપવામાં આવી છે. કંપનીના ભારતીય બ્લાસ્ટર ચેતન દત્તા નિર્ધારિત સમયે ડિટોનેટર બટન દબાવશે અને શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે આખી ઇમારત 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ જશે.

10. બ્લાસ્ટિંગ વિસ્તારને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવશે?
ચેતન દત્તાએ જણાવ્યું છે કે ડાયનેમોમાંથી કરંટ જનરેટ થશે અને પછી બટન દબાવતાની સાથે જ તમામ શોક ટ્યુબમાંના ડિટોનેટર 9 સેકન્ડમાં એક્ટિવ થઈ જશે અને આખી ઈમારત ધરાશાયી થઈ જશે. બ્લાસ્ટર ટીમ વિસ્તારથી લગભગ 50-70 મીટર દૂર હશે. બ્લાસ્ટિંગ વિસ્તારને લોખંડની જાળીના 4 સ્તરો અને પ્લાસ્ટિકકવરથી 2 સ્તરોથી આવરી લેવામાં આવશે. આ ઇમારતોના કાટમાળને ઉડશે નહીં, જો કે, જો કે આસપાસના વિસ્તારમાં ધૂળ ઉડી શકે છે. સુરક્ષાના કારણોસર અહીં તમાન વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. 

Tags :
GujaratFirstNoidaNoidaTwinTowerDemolitionSupertechTwinetower
Next Article