ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસ પ્રમુખ પદના દાવેદારોની સંખ્યા 5 પર પહોંચી! અશોક ગેહલોત, શશી થરૂર પછી આ નામો

હવે કોંગ્રેસ પ્રમુખ પદ( Congress President Election) ના દાવેદારોની સંખ્યા 5 પર પહોંચી છે. એવું માનવામાં આવે છે કે થરૂર અને ગેહલોત(Ashok Gehlot) પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. બંને નેતાઓ હજુ સ્પષ્ટ કંઈ કહી રહ્યાં નથી, પરંતુ રાજકીય ગતિવિધિઓ દ્વારા ચૂંટણીમાં સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  કોંગ્રેસ( Congress)માં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર(Shashi Tharoor) ના નામની ચર્ચા ચાà
09:29 AM Sep 22, 2022 IST | Vipul Pandya
હવે કોંગ્રેસ પ્રમુખ પદ( Congress President Election) ના દાવેદારોની સંખ્યા 5 પર પહોંચી છે. એવું માનવામાં આવે છે કે થરૂર અને ગેહલોત(Ashok Gehlot) પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. બંને નેતાઓ હજુ સ્પષ્ટ કંઈ કહી રહ્યાં નથી, પરંતુ રાજકીય ગતિવિધિઓ દ્વારા ચૂંટણીમાં સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  કોંગ્રેસ( Congress)માં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર(Shashi Tharoor) ના નામની ચર્ચા ચાà
હવે કોંગ્રેસ પ્રમુખ પદ( Congress President Election) ના દાવેદારોની સંખ્યા 5 પર પહોંચી છે. એવું માનવામાં આવે છે કે થરૂર અને ગેહલોત(Ashok Gehlot) પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. બંને નેતાઓ હજુ સ્પષ્ટ કંઈ કહી રહ્યાં નથી, પરંતુ રાજકીય ગતિવિધિઓ દ્વારા ચૂંટણીમાં સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  કોંગ્રેસ( Congress)માં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર(Shashi Tharoor) ના નામની ચર્ચા ચાલી રહી છે. 
 પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મનાવવાની કવાયત 
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી(Congress President Election)માં આ બંને ચહેરા દાવેદારી રજૂ કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મનાવવાની કવાયત પણ ચાલી રહી હતી. પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી છે. પરંતુ જો સમગ્ર રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો હવે દાવેદારોનો આંકડો 5 પર પહોંચતો જોવા મળી રહ્યો છે. દિગ્વિજય સિંહ (Digvijaya Singh) દિલ્હી પહોંચી રહ્યાં છે, અને પાર્ટી અધ્યક્ષ સોનિયા( sonia Gandhi) ગાંધીને મળી શકે છે. હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરના નામ રેસમાં દેખાઈ રહ્યાં હતા. સાથે જ મલ્લિકાઅર્જુન ખડગે, મનીષ તીવારી પણ આ રેસમાં સામેલ છે.
ગેહલોત વિરુદ્ધ થરૂર એ લગભગ નિશ્ચિત છે
હાલમાં એવું માનવામાં આવે છે કે થરૂર અને ગેહલોત પાર્ટીમાં દાવેદાર છે, જો કે બંને નેતાઓ આ મુદ્દે હજુ સ્પષ્ટ કંઈ કહી રહ્યા નથી, પરંતુ રાજકીય ગતિવિધિઓ પ્રમુખની ચૂંટણીને લઈને સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યાં છે. બુધવારે જ વરિષ્ઠ નેતાઓ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. અહીં થરૂર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કાર્યાલય પણ પહોંચ્યા અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને મળ્યા.
પ્રથમ પસંદગી રાહુલ ગાંધી પછી અશોક ગેહલોતને સમર્થન, શશી થરૂર કોંગ્રેસમાં અલગ પડી રહ્યાં છે
શુક્રવારે રાજસ્થાનના મુખ્યમંત્રી કોચી જવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રાહુલ ગાંધીને 'છેલ્લી વખત' પદ માટે મનાવવાનો પ્રયાસ કરશે. તેમનું કહેવું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો પાર્ટી જે કહેશે તે કરશે. અહેવાલ છે કે થરૂરે ચૂંટણી સમિતિ સાથેની તેમની બેઠક દરમિયાન નામાંકન પ્રક્રિયાની ઔપચારિકતાઓ વિશે માહિતી એકત્ર કરી હતી.
આ ચહેરાઓ રેસમાં જોડાતા જોવા મળે છે?
કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવનારા વરિષ્ઠ નેતા મનીષ તિવારીના નામની પણ અટકળો ચાલી રહી છે, જો કે પક્ષના વડાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તે આ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યાં છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે કેરળ જવાની તૈયારી કરી લીધી હોવાના અહેવાલ છે. આ નિર્ણય સાથે તેમના નામના દાવા અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

દિગ્વિજય સિંહ પણ આ રેસમાં સામેલ 
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ગુરુવારે દિલ્હી પહોંચી રહ્યાં છે. આ દરમિયાન તે સોનિયા ગાંધીને મળી શકે છે. આ બેઠકના તાર પ્રમુખની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં, સિંહે એમ પણ કહ્યું હતું કે તેંમણે પોતાના દાવાની શક્યતાને નકારી નથી. સિંહે કહ્યું, 'દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે.તમને 30ની સાંજે જવાબ મળશે'. ખાસ વાત એ છે કે 30 સપ્ટેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે.
પાર્ટી વર્તુળોમાં રાહુલનું નામ ગુંજતું રહે છે
જો કે પાર્ટી વર્તુળોમાં રાહુલનું નામ ગુંજતું રહે છે. ઘણા રાજ્યોમાં, કોંગ્રેસે વાયનાડના સાંસદને પાર્ટીના ટોચના પદ પર જોવાની ઈચ્છા વ્યક્ત કરતા ઠરાવો પસાર કર્યા છે. જો કે એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે રાહુલ આ વખતે કેપ્ટન બનવા માંગતા નથી. જો કે કોંગ્રેસે આજે ગુરુવારે ચૂંટણી માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
અશોક ગેહલોત - શશી થરૂર અને દિગ્વિજયસિંહ 
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં વધુ એક દિગ્ગજની એન્ટ્રી થવાની શક્યતાઓ છે. એવા અહેવાલ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ગુરુવારે દિલ્હી પહોંચી રહ્યા છે અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાની શક્યતા છે. હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરના નામ રેસમાં દેખાઈ રહ્યાં હતા.
પાર્ટીમાં નોમિનેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિંહ ગુરુવારે દિલ્હીમાં સોનિયાને મળવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. તાજેતરમાં જ તેમણે ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી. પાર્ટીમાં નોમિનેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.


ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે સિંહને થરૂર અને ગેહલોત વચ્ચેના ઉમેદવાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે પોતાનું નામ રજૂ કર્યું. તેણે કહ્યું, 'જુઓ. હું મારી જાતે ચૂંટણીના ઉમેદવારીની શક્યતાઓને પણ નકારી રહ્યો નથી. તમે મને શા માટે બહાર રાખવા માંગો છો?' તેમણે કહ્યું કે તેઓ 20 વર્ષ પછી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પણ દાવેદાર બની શકે છે. તેમણે તેમના નોમિનેશનની તારીખ પણ દર્શાવી હતી. સિંહે કહ્યું, 'દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે... તમને 30ની સાંજે જવાબ મળશે'. ખાસ વાત એ છે કે 30 સપ્ટેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે.
 
આ પણ વાંચો - બે દાયકાથી વધુ સમય બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માટેની રેસ, આ છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા
Tags :
AshokGehlotCongressCongressPresidentElectionDigvijayaSinghGujaratFirstMallikarjunKhargerahulgandhiShashiTharoorSoniaGandhi
Next Article