પૂર્વ CM Vijay Rupani ના અવસાનથી રાજકોટ શોકમાં ગરકાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન થયું છે, જ્યાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે તેમને શ્રદ્ધાંજલિ આપવા અડધા દિવસનું બંધ પાળ્યું, જેમાં શહેરની તમામ દુકાનો બંધ રહી. રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવી, રાજકોટના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેની યાદમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન સહિત 108 સંસ્થાઓએ ચેમ્બરના બંધના નિર્ણયને ટેકો આપ્યો અને ઔદ્યોગિક એકમો બંધ રાખ્યા.
01:37 PM Jun 14, 2025 IST
|
Hardik Shah
Ahmedabad Plane Crash : અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન થયું છે, જ્યાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે તેમને શ્રદ્ધાંજલિ આપવા અડધા દિવસનું બંધ પાળ્યું, જેમાં શહેરની તમામ દુકાનો બંધ રહી. રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવી, રાજકોટના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેની યાદમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન સહિત 108 સંસ્થાઓએ ચેમ્બરના બંધના નિર્ણયને ટેકો આપ્યો અને ઔદ્યોગિક એકમો બંધ રાખ્યા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મૃતકોની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે રૂપાણીની જનસેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરવાનો એક માર્મિક પ્રયાસ હતો.
Next Article