ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જોશીમઠ સંકટને લઇને વડાપ્રધાન કાર્યાલયે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, આ બાબતો પર થઇ ચર્ચા

ઉત્તરાખંડના જોશીમઠમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જોશીમઠ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવની બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જે અંતર્ગત એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સોમવારે જોશીમઠની મુલાકાત લેશà
04:46 PM Jan 08, 2023 IST | Vipul Pandya
ઉત્તરાખંડના જોશીમઠમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જોશીમઠ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવની બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જે અંતર્ગત એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સોમવારે જોશીમઠની મુલાકાત લેશà
ઉત્તરાખંડના જોશીમઠમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જોશીમઠ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવની બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જે અંતર્ગત એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સોમવારે જોશીમઠની મુલાકાત લેશે.

એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમો જોશીમઠ પહોંચી
વડાપ્રધાનના મુખ્ય સચિવે જોશીમઠમાં સ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા હાથ ધરી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારની એજન્સીઓ અને નિષ્ણાતો રાજ્ય સરકારને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે. એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમો જોશીમઠ પહોંચી ચૂકી છે. આ સાથે જ અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
જોશીમઠને બચાવવા માટે આ કામ કરવામાં આવશે
બોર્ડર મેનેજમેન્ટના સચિવ અને એનડીએમએના સભ્યો આવતીકાલે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠથી પીએમઓને માહિતી આપી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, આઈઆઈટી રૂરકી, વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રોલૉજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોની ટીમોને અભ્યાસ કરવા અને ભલામણો આપવા માટે કહેવામાં આવ્યું છે.
PMએ મુખ્યમંત્રી સાથે વાત કરી
વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ કેબિનેટ સચિવ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજી છે. જોશીમઠ જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા રવિવારે પીએમ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર આ કટોકટી અંગે વાત કરી હતી અને તેમને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ  ભારત અને જાપાન આ તારીખથી પ્રથમ દ્વિપક્ષીય હવાઈ યુદ્ધ અભ્યાસ કરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrisisdiscussedGujaratFirsthigh-levelmeetingissuesJoshimathofficePrimeMinister
Next Article