ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં આજે માત્ર 3 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોરોનાના વિશ્વમાં વધી રહેલા કેસને લઈને ચિંતા કરી રહી છે  ત્યારે ગુજરાતમાં આજે માત્ર 3 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ જો નવા કેસની વાત કરીએ તો વડોદરામાં બે અને અમદાવાદમાં 1 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા  27 જ છે જેમાં તમામ 27 એ 27 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. ત્યારે કોરોના ભય ની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજà
03:12 PM Dec 23, 2022 IST | Vipul Pandya
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોરોનાના વિશ્વમાં વધી રહેલા કેસને લઈને ચિંતા કરી રહી છે  ત્યારે ગુજરાતમાં આજે માત્ર 3 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ જો નવા કેસની વાત કરીએ તો વડોદરામાં બે અને અમદાવાદમાં 1 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા  27 જ છે જેમાં તમામ 27 એ 27 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. ત્યારે કોરોના ભય ની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજà
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોરોનાના વિશ્વમાં વધી રહેલા કેસને લઈને ચિંતા કરી રહી છે  ત્યારે ગુજરાતમાં આજે માત્ર 3 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ જો નવા કેસની વાત કરીએ તો વડોદરામાં બે અને અમદાવાદમાં 1 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા  27 જ છે જેમાં તમામ 27 એ 27 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. ત્યારે કોરોના ભય ની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજે રસીકરણમાં વધારો થયો છે ગુરુવારે જ્યારે 10,000 જેટલા નાગરિકોએ કોરોનાની રસી લીધી હતી ત્યારે આજે 16,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કોરોનાની ચિંતને લઈને રાજ્ય સરકાર પણ હવે સતત બેઠકો યોજી રહી છે ત્યારે આજે કેન્દ્ર આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથેની ચર્ચા કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ પણ ગુજરાતના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજતી હતી. બેઠકમાં કોરોનાને લઈને સાવધાની વર્તવા તેમજ વિદેશથી આવતા મુસાફરોનું ચેકિંગ કરવું તેમજ થર્મલ સ્ક્રિનિંગ તમામ મુસાફરોનું ફરજિયાત કરવા પર પણ ચર્ચા કરાઈ હતી. 
ત્યારે ગુજરાતમાં માત્ર 33% લોકોએ જ પ્રીકોસન ડોઝ લીધો હોવાની વાતને લઈને સરકારે ચિંતા વ્યક્ત કરી આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકો વેક્સિન લે તે પ્રયાસ સરકાર દ્વારા કરાશે સાથે 27 ડિસેમ્બરે રાજ્યની તમામ હોસ્પિટલોમાં કોરોનાને લઈને એક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે
આપણ વાંચો-રાજકોટ ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CoronaCoroneVirusCovid-19Covid19NewsGujaratGujaratFirst
Next Article