ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વર્ષ 2022ની આ ચકચારી ઘટનાઓ જેણે દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું

વર્ષ 2022 પૂર્ણ થવામાં થોડાં કલાકો જ બાકી રહ્યાં છે નવા વર્ષને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2022ની અનેક યાદો પણ ઈતિહાસના પાને અંકિત થશે. 2022નું વર્ષ ગુજરાત માટે પણ ખાસ રહ્યું છે અને આ સાથે જ આ વર્ષે ગુજરાતમાં એવી ચકચારી ઘટનાઓ ઘટી જેણે દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યુ હતું.કિશન ભરવાડ હત્યા કેસસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિતપણે 'વિવાદિત ધાર્મિક પોસ્ટ' બાબતે 25મી જાન્યુઆરી
12:38 PM Dec 29, 2022 IST | Vipul Pandya
વર્ષ 2022 પૂર્ણ થવામાં થોડાં કલાકો જ બાકી રહ્યાં છે નવા વર્ષને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2022ની અનેક યાદો પણ ઈતિહાસના પાને અંકિત થશે. 2022નું વર્ષ ગુજરાત માટે પણ ખાસ રહ્યું છે અને આ સાથે જ આ વર્ષે ગુજરાતમાં એવી ચકચારી ઘટનાઓ ઘટી જેણે દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યુ હતું.કિશન ભરવાડ હત્યા કેસસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિતપણે 'વિવાદિત ધાર્મિક પોસ્ટ' બાબતે 25મી જાન્યુઆરી
વર્ષ 2022 પૂર્ણ થવામાં થોડાં કલાકો જ બાકી રહ્યાં છે નવા વર્ષને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2022ની અનેક યાદો પણ ઈતિહાસના પાને અંકિત થશે. 2022નું વર્ષ ગુજરાત માટે પણ ખાસ રહ્યું છે અને આ સાથે જ આ વર્ષે ગુજરાતમાં એવી ચકચારી ઘટનાઓ ઘટી જેણે દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યુ હતું.
કિશન ભરવાડ હત્યા કેસ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિતપણે 'વિવાદિત ધાર્મિક પોસ્ટ' બાબતે 25મી જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદના ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખ્સો દ્વારા  ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાએ ગુજરાતમાં ભારે ચકચાર જગાવી હતી.
ગ્રીષ્મા હત્યા કેસ
સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી ત્યાર બાદ પોતેઆપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
બોટાદ લઠ્ઠાકાંડ
26 જુલાઈ 2022ના રોજ બોટાદના બરવાળા તાલુકાના ગામોમાં ઝેરી દારૂ પિવાથી અનેક લોકોના મોત થતાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જોકે પોલીસે દાવો કર્યો હતો કે કૅમિકલ પીવાના કારણે લોકો મૃત્યુ પામ્યા છે. પાણી ભેળવીને કૅમિકલ જ લોકોને આપવામાં આવ્યું હતું. આ ઘટના પણ દેશ-દુનિયામાં ચર્ચાઈ હતી.
મોરબી બ્રીજ દુર્ઘટના
30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં આવેલા ઝુલતા પુલમાં ક્ષમતા વધારે કરતા લોકોને પ્રવેશ આપવા દેતા મોટી હોનારત સર્જાય હતી. જેમાં 130થી વધારે લોકોના મોત થયાં હતા અને આ ઘટનાએ સમગ્ર દુનિયાનું ધ્યાન મોરબી તરફ ખેંચ્યું હતું.
આ પણ વાંચો - નવા વર્ષથી કુનો નેશનલ પાર્કમાં દેશવાસીઓ નિહાળી શકશે ચિત્તા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BotadDhandhukaGoodBye2022GrishmaCaseGujaratGujaratFirstKishanBharvadmorbiSuratTragedies2022
Next Article