આ બે દિવસ દેશની રાજનીતિની દિશા નક્કી થશે : પવન ખેરા
Ahmedabad : અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, જેને લઈને પક્ષના નેતા પવન ખેરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ બે દિવસ માત્ર કોંગ્રેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળામાં દેશની રાજકીય દિશા અને દશા નક્કી થશે.
Advertisement
Ahmedabad : અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, જેને લઈને પક્ષના નેતા પવન ખેરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ બે દિવસ માત્ર કોંગ્રેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળામાં દેશની રાજકીય દિશા અને દશા નક્કી થશે. પવન ખેરાએ ભારપૂર્વક કહ્યું કે, આજે સમગ્ર દેશની નજર કોંગ્રેસ પર ટકેલી છે અને લોકો હવે વર્તમાન સ્થિતિમાંથી પરિવર્તનની આશા રાખી રહ્યા છે. તેમના મતે, આ અધિવેશન દેશની જનતાની અપેક્ષાઓને નવી દિશા આપવાનું માધ્યમ બનશે, જે રાજકીય પરિવેશમાં નોંધપાત્ર ફેરફારની સંભાવના દર્શાવે છે.
Advertisement