વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, શૌર્ય યાત્રા બાદ મંદિરમાં કરશે પૂજા
- વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- સોમનાથમાં શૌર્ય યાત્રામાં સામેલ થશે PM મોદી
- સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રાનો થશે પ્રારંભ
- 108 અશ્વોની નીકળશે પ્રતિકાત્મક શૌર્ય યાત્રા
- શૌર્ય યાત્રા બાદ PM મોદી મંદિરમાં કરશે પૂજા
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જે અંતર્ગત તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના શરણે પહોંચશે. આ પ્રવાસ દરમિયાન સોમનાથમાં આયોજિત ભવ્ય ‘શૌર્ય યાત્રા’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાની છે, જેનો પ્રારંભ સવારે 9.45 કલાકે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
શૌર્ય યાત્રા બાદ PM મોદી મંદિરમાં કરશે પૂજા
આ યાત્રાની વિશેષતા એ છે કે તેમાં 108 અશ્વોની પ્રતિકાત્મક શૌર્ય સવારી કાઢવામાં આવશે, જે ગૌરવવંતા ઇતિહાસ અને શૌર્યના પ્રતીક તરીકે આકર્ષણ જમાવશે. શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવશે અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાનના આ આગમનને પગલે સમગ્ર સોમનાથ સંકુલમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદીએ નિહાળ્યો ભવ્ય ડ્રોન શો- ઝળહળી ઉઠ્યું સોમનાથ મંદિર પરિસરનું આકાશ


