Umreth By-election: ભાજપના ગઢમાં કોંગ્રેસની હાર, ઉમેદવારે EVM પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં (By-election) ભાજપએ ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ત્યારે પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃંગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાને બદલે હારનો ટોપલો EVM મશીન પર ઠાલવ્યો છે.
Advertisement
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં (By-election) ભાજપએ ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ત્યારે પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃંગુરાજસિંહ ચૌહાણે (Bhrigurajsinh Chauhan) પોતાની હાર સ્વીકારવાને બદલે હારનો ટોપલો EVM મશીન પર ઠાલવ્યો છે. તેમણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે જનતાના મતો તેમની તરફેણમાં હોવા છતાં ટેકનિકલ ગેરરીતિને કારણે તેઓ હાર્યા છે. ખાસ કરીને તેમણે EVM મશીનની બેટરીના ટકાવારી મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. જુઓ વીડિયો....
Advertisement


