Gir Somnath: ગીર સોમનાથમાં મેઘાતંક, ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરથી તારાજી, પશુધનને ભારે નુકસાન
ગીર સોમનાથના ઉના પંથકમાં અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાવલ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા ત્રણ નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું છે, જેના કારણે ખત્રીવાડા સહિતના અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. પૂરના પાણી ઘરોમાં ગળાડૂબ ભરાઈ જવાથી ગ્રામજનોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Advertisement
Gir Somnath: ગીર સોમનાથના ઉના પંથકમાં અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાવલ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા ત્રણ નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં અનેક પશુઓના જીવ ગયા છે અને ખેતીલાયક જમીન તેમજ મિલકતોને મોટું નુકસાન થયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વહીવટી તંત્રના ફૂડ પેકેટ પણ અસરગ્રસ્તો સુધી પહોંચી શક્યા નથી. આ કપરા સમયમાં ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે.

