ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટોકન દરે ઉંધીયાનું વિતરણ, ગરીબો પણ તહેવારનો આનંદ માણી શકે તે માટે છેલ્લા 5 વર્ષથી આયોજન

ગરીબો મોંઘુ ઉંધીયુ ખરીદવા સક્ષમ ન હોવાથી આ આયોજન કોઈ પણ તહેવાર હોય મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પીસી રહી છે. દરેક ખાદ્ય ચીજો ખૂબ મોંઘી થઈ ગઈ છે. ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ તો ઉત્તરાયણના દિવસે ગમે તેમ કરીને મોંઘું તો મોંઘું પણ  ઉંધીયું અવશ્ય ખાય છે.  જ્યારે ગરીબ લોકો માટે 300 થી 400 રૂપિયાનું એક કિલો ઊંધિયું  ખરીદવું અને ખાવું શક્ય નથી હોતું. તેથી આવા ગરીબ લોકો માટે તહેવારો પણ સામાનà
08:15 AM Jan 14, 2023 IST | Vipul Pandya
ગરીબો મોંઘુ ઉંધીયુ ખરીદવા સક્ષમ ન હોવાથી આ આયોજન કોઈ પણ તહેવાર હોય મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પીસી રહી છે. દરેક ખાદ્ય ચીજો ખૂબ મોંઘી થઈ ગઈ છે. ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ તો ઉત્તરાયણના દિવસે ગમે તેમ કરીને મોંઘું તો મોંઘું પણ  ઉંધીયું અવશ્ય ખાય છે.  જ્યારે ગરીબ લોકો માટે 300 થી 400 રૂપિયાનું એક કિલો ઊંધિયું  ખરીદવું અને ખાવું શક્ય નથી હોતું. તેથી આવા ગરીબ લોકો માટે તહેવારો પણ સામાનà
ગરીબો મોંઘુ ઉંધીયુ ખરીદવા સક્ષમ ન હોવાથી આ આયોજન 
કોઈ પણ તહેવાર હોય મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પીસી રહી છે. દરેક ખાદ્ય ચીજો ખૂબ મોંઘી થઈ ગઈ છે. ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ તો ઉત્તરાયણના દિવસે ગમે તેમ કરીને મોંઘું તો મોંઘું પણ  ઉંધીયું અવશ્ય ખાય છે.  જ્યારે ગરીબ લોકો માટે 300 થી 400 રૂપિયાનું એક કિલો ઊંધિયું  ખરીદવું અને ખાવું શક્ય નથી હોતું. તેથી આવા ગરીબ લોકો માટે તહેવારો પણ સામાન્ય દિવસ જેવા બની જતા હોય છે. આવી વરવી પરિસ્થિતિમાં આવા પરિવારો માટે મહેસાણાના અતિ પ્રાચીન તોરણ વાળુ માતાજી યુવક મંડળ આગળ આવ્યું છે . આ મંડળ દ્વારા માત્ર 20 રૂપિયા માં 750 ગ્રામ ઊંધિયું આવા ગરીબ પરિવારો માટે છેલ્લા 5 વર્ષથી તોરણવાળી માતાજી મંદિર સામે કેમ્પ બનાવી આપવામાં આવે છે. આજે  4 હજાર જેટલા લોકોએ અહીંથી 1500 કિલો ઊંધિયું ખરીદવાનો લાભ લીધો. આ ઊંધિયું ખરીદવા અહીં લાંબી લાઈનો પણ જોવા મળી.
1500 કિલો ઉંધીયુ ટોકનભાવે વેચાયું 
દરવખત ની જેમ આ વખતે પણ મહેસાણાના તોરણવાડી મિત્ર મંડળ દ્વારા  રાહત દરે ઊંધિયા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અંદાજિત 1500 કિલો ઉંધીયુ મહેસાણાની ગરીબ મધ્યમ પરિવાર જમી શકે તે માટે ₹20 ના ટોકન દરે ઉંધીયુ રાહત દરે આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં ગરીબ મધ્યમ પરિવારના પરિજનોએ લાંબી કતારો લગાવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઊંધિયાની ખરીદી પોતાના પરિવાર માટે કરી હતી. દર વર્ષની જેમ રાહત દરે ઉંધીયુ વેચીને એક સારા અભિગમ અપનાવી તોરણવાળી મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતો. આ મિત્રો દિવાળીમાં પણ મીઠાઈ અને ફરસાણનું આવી ટોકન અને રાહત દરે વિતરણનું આયોજન છેલ્લા 5 વર્ષથી કરતા આવ્યા છે.
આ પણ વાંચોઃ  સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દરિયાપુરની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CelebrationdistributedFestivalGujaratFirstpoortokenrateUndhiyuUtrayan
Next Article