Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

બજેટ 2026ને કેન્દ્રીય મંત્રી CR Patil એ આવકાર્યું, જાણો શું કહ્યું

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વર્ષ 2026ના સામાન્ય બજેટને સર્વસમાવેશક ગણાવતા હર્ષભેર આવકાર્યું છે અને જણાવ્યું છે કે આ બજેટમાં સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના ઉત્થાન માટે સચોટ જોગવાઈઓ કરવામાં આવી છે.
Advertisement
  • બજેટ 2026ને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આવકાર્યું
  • બજેટ 2026માં દરેક ક્ષેત્ર માટે વ્યવસ્થા કરવામાં આવી છે
  • જળશક્તિ મંત્રાલયને પણ 95 હજાર કરોડની ફાળવણી થઈ
  • બજેટ ફાળવણીથી જળ જીવન મિશનને વેગ મળશેઃસી.આર.પાટીલ
  • દરેક ઘરે પીવાનું ચોખ્ખુ પાણી પહોંચાડવાનું લક્ષ્ય પુરુ થશે:સી.આર.પાટીલ
  • સ્વચ્છ ભારત અભિયાન માટે પણ બજેટમાં યોગ્ય ફાળવણી થઈ છે
  • માત્ર વાતો નહીં પરંતુ યોજના અને તેની પર અમલ પણ થાય છે

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વર્ષ 2026ના સામાન્ય બજેટને સર્વસમાવેશક ગણાવતા હર્ષભેર આવકાર્યું છે અને જણાવ્યું છે કે આ બજેટમાં સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના ઉત્થાન માટે સચોટ જોગવાઈઓ કરવામાં આવી છે.

ખાસ કરીને જળશક્તિ મંત્રાલયને ફાળવવામાં આવેલી રૂ.95,000 કરોડની જંગી રકમનો ઉલ્લેખ કરતા તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ માતબર ફાળવણીથી 'જળ જીવન મિશન'ના કાર્યમાં અભૂતપૂર્વ વેગ આવશે, જેના પરિણામે દેશના દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું સરકારનું સંકલ્પબદ્ધ લક્ષ્ય સમયસર પૂર્ણ થશે. આ ઉપરાંત, સ્વચ્છ ભારત અભિયાન માટે બજેટમાં કરાયેલી પૂરતી આર્થિક વ્યવસ્થા અંગે તેમણે ભાર મૂક્યો હતો કે વર્તમાન સરકાર માત્ર પોકળ વાતો કરવામાં નહીં, પરંતુ મજબૂત આયોજન અને તેના ક્ષમતાપૂર્વકના અમલીકરણમાં માને છે, જેનો પુરાવો આ લોકહિતલક્ષી બજેટમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો : “માત્ર વાતો નહીં, અમલ પણ થાય છે” – જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું Budget 2026 પર નિવેદન

Advertisement

Tags :
Advertisement

.

×