રાજકોટમાં રામ નવમીની અનોખી ઉજવણી! મીઠાઈથી બનાવ્યું રામ મંદિર
Rajkot : રાજકોટમાં એક ડેરી વેપારીએ રામ નવમીના પાવન પર્વને યાદગાર બનાવવા માટે અયોધ્યાના રામ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ મીઠાઈથી તૈયાર કરી છે.
Advertisement
Rajkot : રાજકોટમાં એક ડેરી વેપારીએ રામ નવમીના પાવન પર્વને યાદગાર બનાવવા માટે અયોધ્યાના રામ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ મીઠાઈથી તૈયાર કરી છે. આ અદ્ભુત મંદિર બનાવવા માટે 32 કિલો કાજુનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેને સાકાર કરવામાં 4 દિવસનો સમય લાગ્યો. રામ નવમી સુધી આ મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો તેની ઝાંખી કરવા આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ મંદિરનું વેચાણ નહીં કરવામાં આવે, પરંતુ રામ નવમીના દિવસે તેને કોઈ મોટા મંદિરમાં અર્પણ કરવાની યોજના છે, જે આ ઉજવણીને વધુ ખાસ બનાવે છે.
Advertisement