પતંગરસિકો માટે ખુશખબર, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ રહેશે સારી
14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. આ બે દિવસોમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વળી આ દરમિયાન લોકોને ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે.
06:04 PM Jan 13, 2025 IST
|
Hardik Shah
- પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર
- 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ રહેશે સારી
- 15થી 20 કિમિ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
- ઉતરાયણના બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે
Uttarayan : ઉતરાયણની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે દિવસ હવે આવી જ ગયો છે. ત્યારે આ તહેવારને લઇને થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ થઇ રહી હતી કે આ બે દિવસોમાં શું પવનની ગતિ સારી હશે નહીં? હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. આ બે દિવસોમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વળી આ દરમિયાન લોકોને ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે.
Next Article