Vadodara : નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું
Vadodara : નેશનલ હેરાલ્ડ કેસને લઈને વડોદરાના અકોટા વિસ્તારમાં દાંડિયા બજાર ચાર રસ્તા પર ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
07:45 AM Apr 18, 2025 IST
|
Hardik Shah
Vadodara : નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) ને લઈને વડોદરાના અકોટા વિસ્તારમાં દાંડિયા બજાર ચાર રસ્તા પર ભાજપ (BJP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકરો દ્વારા ગાંધી પરિવાર તેમજ કોંગ્રેસ પક્ષ (Congress Party) સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે થોડીક ક્ષણો માટે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું, જેને લઈને પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ નિયંત્રિત કરી હતી. સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લઈને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.
Next Article