Visavadar By Poll : ચુંટણી ટાણે નેતાઓના સુધરવાના નાટક અને શ્વાનની પુંછડી સુધીનું રાજકારણ ?
ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપના યજ્ઞેશ દવે (Yagnesh Dave) ગુસ્સે થયા છે. તેમણે આ સંદર્ભે X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે.
Advertisement
Visavadar by-Election : ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ દિવસોમાં બંને બેઠકો પર રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. વિસાવદરની પેટાચૂંટણી હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા બનવાની છે તેમાં કોઈ બેમત નથી. તેથી દરેક મુખ્ય પક્ષ વિસાવદર બેઠક માટે બહુ મહેનત કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર પરથી ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે પ્રચાર કરતી વખતે સનાતન ધર્મ મુદ્દે નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદન પર વિસાવદર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે (Yagnesh Dave) એ X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે. જૂઓ અહેવાલ....
Advertisement