ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચ્છમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી.લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિહોણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (àª
12:16 PM Feb 22, 2023 IST | Vipul Pandya
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી.લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિહોણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (àª
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી.લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિહોણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસવિહોણા કે કાચું ઘર ધરાવતાં હોય, તેમને આવાસ બાંધકામ માટેની નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે.
આ તકે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 45 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને આ યોજનામાં ઝડપી લોકોને લાભ મળી રહે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.  માંડવી ધારાસભ્ય શ્રી અનિરુધભાઈ દવે ની અધ્યક્ષતામાં 68 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. અને લોકોને પોતાના સપનાનું ઘર બને તે માટે તે હંમેશા પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું.
આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ આપવામાં આવતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦,૦૦૦/-, રૂ.૫૦,૦૦૦/- અને રૂ.૪૦,૦૦૦/- આપવામાં આવે છે.
જો લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ ન હોય,તો સરકારશ્રી તરફથી લાભાર્થીને ૧૦૦ ચો.વારનો પ્લોટ પણ ફાળવવામાં આવે છે. તદુપરાંત લાભાર્થી જો ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરે તો લાભાર્થીને સહાય ઉપરાંત મુખ્યમંત્રી અતિરિક્ત પ્રોત્સાહક સહાય હેઠળ રૂ.૨૦,૦૦૦/- પણ આપવામાં આવે છે. તેમજ જો આવાસની સાથે બાથરૂમનું બાંધકામ કરે તો સહાય ઉપરાંત બાથરૂમ બાંધકામ સહાય હેઠળ રૂ.૫,૦૦૦/- આપવામાં આવે છે. લાભાર્થીને આવાસનું બાંધકામ જાતે કરવા બદલ મનરેગા હેઠળ ૧૦૦ દિવસની સરકારશ્રીના વખતોવખતના નક્કી થયેલ મજુરીના દરને આધારે રોજગારી ચુકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માત્ર આવાસની સાથે સાથે લાભાર્થીને જીવનની અન્ય પણ પાયાની સવલતો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો  છે. જેમ કે ઉજાલા યોજના હેઠળ વીજળીનું કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન, નલ સે જલ યોજના હેઠળ પાણીનું કનેક્શન જેવી અન્ય યોજનાઓ સાથે સંકલન સાધીને લાભાર્થીને વધુમાં વધુ સરકારી લાભો મળી રહે તેવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વર્ષ ૨૦૨૨-૨૩માટે કચ્છ જિલ્લાને ૧.૫ માસ અગાઉ ૩૪૮૦નો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. જે પેંકી ટૂંક જ સમયમાં લાભાર્થીની ખરાઈ કરી, જરૂરી પુરાવા-દસ્તાવેજ લઇ ૧૬૭૬ જેટલા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ૪૨૩ જેટલા લાભાર્થીઓ પાસે આવાસ બનાવવા માટે પ્લોટ ન હોતાં, તેમને પણ ૧૦૦ ચો. વાર પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેથી તેઓ પણ પોતાના સ્વપ્નનું આવાસ બનાવી શકે. 
આ પણ વાંચોઃ  રાજકોટમાં બાઈક પર જોખમી સ્ટંટ, હાથમાં રિવોલ્વર તેમજ દારૂનાં ગ્લાસ સાથેનાં જુદા-જુદા ત્રણ વીડિયોએ પોલીસને દોડતી કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
beneficiariesGujaratFirstKutchPradhanMantriAwasYojanaWorkorders
Next Article