Yogi Adityanath scholarship statement on corruption: "પરિવારવાદને કારણે વિદ્યાર્થીઓના હક છિનવાતા"
CM યોગી એ કહ્યું કે, પરિવારવાદને કારણે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાઉં થઈ જતી. સમાજ કલ્યાણ વિભાગના બાબુઓ દ્વારા પણ ગરીબોના હક છિનવાતા હતા.
Advertisement
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથનું શિષ્યવૃત્તિને લઈને મોટું નિવેદન આવ્યું છે. SC-ST નાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને ઉત્તરપ્રદેશનાં CM એ સ્પષ્ટ વાત કરતા અને વિપક્ષ પર ચાબખાં મારતા કહ્યું કે, પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ભ્રષ્ટાચાર થતા હતા. ભ્રષ્ટાચારના કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહોતી મળતી. પરિવારવાદને કારણે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાઉં થઈ જતી. સમાજ કલ્યાણ વિભાગના બાબુઓ દ્વારા પણ ગરીબોના હક છિનવાતા હતા. PM મોદીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિષ્યવૃત્તિ સીધી બેંકમાં આપી છે. ઈ ગવર્નન્સના એક મોડલના કારણે તમામને સીધો લાભ મળતો થયો છે. શિષ્યવૃત્તિ દરેકનો હક છે, અને તમામ હકદારોને મળવી જોઈએ.
Advertisement


