Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar Viral Video : 34 વર્ષ પૂર્વે કરેલા ગુનાની સજા 84 વર્ષની ઉંમરે મળી, વળી ગયેલી કમરે વૃદ્ધ જેલમાં ગયા

બિહારના વૈશાલીમાં 34 વર્ષ જૂના કેસમાં 84 વર્ષના વૃદ્ધ દીપ રાયને જેલની સજા થતા ચકચાર મચી છે. ગોળીબારના આ કેસમાં તેઓ એકમાત્ર જીવિત આરોપી છે. લાકડીના સહારે ચાલતા વૃદ્ધને પોલીસ કસ્ટડીમાં લઈ જતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો ન્યાય પ્રક્રિયાની ધીમી ગતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને માનવીય દ્રષ્ટિકોણથી સજામાં રાહત આપવાની માંગ કરી રહ્યા છે.
bihar viral video   34 વર્ષ પૂર્વે કરેલા ગુનાની સજા 84 વર્ષની ઉંમરે મળી  વળી ગયેલી કમરે વૃદ્ધ જેલમાં ગયા
Advertisement

Bihar Viral Video : ન્યાયની પ્રક્રિયા ક્યારેક કેટલી વિલંબિત અને વેદનાદાયક હોઈ શકે છે, તેનું જીવંત અને હૃદયદ્રાવક ઉદાહરણ બિહારના વૈશાલી (Vaishali) જિલ્લામાંથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 84 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ, દીપ રાય (Deep Rai), જેમને ચાલવા માટે પણ અન્યના સહારેની જરૂર છે, તેમને પોલીસ કસ્ટડીમાં જેલ લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને સામાન્ય લોકોના મનમાં ન્યાયતંત્રની ગતિ અને માનવીય સંવેદનાઓને લઈને અનેક નૈતિક સવાલો ઉઠી રહ્યા છે.

34 વર્ષ જૂનો કેસ અને અંતિમ દોષિત

આ સમગ્ર મામલો વર્ષ 1992 નો છે. બિહારના રાઘોપુર (Raghopur) બ્લોકના જુડાવનપુર ગામમાં 10 મે, 1992 ના રોજ ગોળીબાર (Firing) અને જીવલેણ હુમલાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં 5 લોકોએ હથિયારો સાથે એક વ્યક્તિના ઘરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હોવાનો આરોપ હતો. સમય જતાં, આ કેસમાં આરોપી બનેલા અન્ય તમામ વ્યક્તિઓનું કુદરતી રીતે અથવા અન્ય સંજોગોમાં અવસાન થયું છે અને હવે માત્ર 84 વર્ષીય દીપ રાય જ જીવિત બચ્યા હતા. 1993 માં ચાર્જશીટ (Chargesheet) દાખલ થયા બાદ, લાંબી અને જટિલ કાનૂની પ્રક્રિયાને અંતે, 2026 માં કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે.

Advertisement

સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે લોકો દીપ રાયને ટેકો આપીને કોર્ટ અને જેલ તરફ લઈ જઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર થતા જ દેશભરમાં આક્રોશ ફેલાયો છે. નેટીઝન્સ સવાલ કરી રહ્યા છે કે, "શું આ ઉંમરે જ્યારે વ્યક્તિ પોતાના દૈનિક કાર્યો માટે પણ બીજા પર નિર્ભર છે, ત્યારે તેમને જેલની નહીં, પણ સેવાની અને પરિવારના સહકારની જરૂર નથી?" કેટલાક લોકો તો એવું પણ પૂછી રહ્યા છે કે પોલીસ અને ન્યાયતંત્ર આટલા વર્ષો સુધી ક્યાં હતા?

Advertisement

ન્યાય કે સંવેદનાનો અભાવ?

આ ઘટના કાયદાકીય પ્રક્રિયાની મજબૂરી અને માનવીય સંવેદના વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. નિઃસંદેહ, ગુનો ગુનો જ છે અને તેની સજા મળવી જોઈએ, પરંતુ શું 34 વર્ષ બાદ જ્યારે વ્યક્તિ મૃતપ્રાય અવસ્થામાં હોય, ત્યારે જેલની સજા કેટલી વ્યાજબી છે? આ સવાલ હાલમાં બિહાર સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સો ન્યાય પ્રણાલીની ધીમી ગતિ પર એક મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે, જ્યાં ન્યાય મળવામાં એટલો વિલંબ થાય છે કે સજાનો હેતુ પણ અર્થહીન બની જાય છે.

આ પણ વાંચો : રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો! ગુજરાતના રોડ પર દોડી 'મોતની ક્રુઝર'! જુઓ Viral Video

Tags :
Advertisement

.

×