સાવધાન! વર્ષો સુધી ચાલશે વરસાદ અને ડૂબી જશે દુનિયા? ઘાનાના એબો જીજસના દાવાથી ફફડાટ
- પૃથ્વી પર મહાપ્રલયની ભયાનક ભવિષ્યવાણી (Abo Noah Global ProphecyAbo Noah Global Prophecy)
- વર્ષો સુધી ચાલનારા વરસાદ અને વૈશ્વિક પૂરની આગાહી
- ઘાનાના શખ્સે બચાવ માટે 8 હોડીઓ બનાવવાનું શરૂ કર્યું
- સોશિયલ મીડિયા પર 'એબો જીસસ'ના દાવાથી ભારે ફફડાટ
- ભગવાને હોડી બનાવવા વધુ સમય આપ્યાનો નવો દાવો
Abo Noah Global Prophecy : દુનિયામાં અવારનવાર વિચિત્ર ભવિષ્યવાણીઓ થતી રહે છે, પરંતુ હાલમાં ઘાનાના એક સ્વ-ઘોષિત પયગંબર એબો નોહ (Abo Noah) એ કરેલા દાવાએ સોશિયલ મીડિયા પર ગભરાટ અને ચર્ચાનું વાતાવરણ ઉભું કર્યું છે. 'એબો જીસસ' તરીકે જાણીતા આ શખ્સે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં પૃથ્વી પર મહાપ્રલય આવશે અને વર્ષો સુધી અવિરત વરસાદ ચાલશે.
વૈશ્વિક પૂરની ભયાનક ચેતવણી
એબો નોહના જણાવ્યા મુજબ, તેમને ઈશ્વરીય સંકેત મળ્યો છે કે પૃથ્વી પર એવું વિનાશક પૂર આવશે જે માનવ સંસ્કૃતિને જડમૂળથી હલાવી દેશે. આ વરસાદ સામાન્ય મોસમી વરસાદ નહીં હોય, પરંતુ આધુનિક યુગના પ્રલય સમાન હશે જે ખેતી, શહેરો અને કુદરતી સંસાધનોનો નાશ કરશે.
A Ghanaian prophet, Ebo Noah, who predicted a global catastrophe that failed to occur has urged his followers to relax and “enjoy themselves,” declaring that the doom had been postponed.
Noah had earlier predicted that God would unleash a catastrophic flood on Dec. 25, 2025. pic.twitter.com/nTb9hHuWiW
— Thefrontrank (@ThefrontrankHub) December 28, 2025
હોડી બનાવવાનો વિચિત્ર આદેશ
પોતાના દાવાને સાબિત કરવા માટે એબો નોહે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે લાકડાના વિશાળ જહાજનું નિર્માણ કરતો દેખાય છે. તેણે દાવો કર્યો છે કે ભગવાને તેને 8 મોટી હોડીઓ બનાવવાનો આદેશ આપ્યો છે, જે આ આફત સમયે લોકો માટે આશ્રયસ્થાન બનશે.
Abo Noah Global Prophecy : ભવિષ્યવાણીના સમયમાં ફેરફાર
શરૂઆતમાં આ પયગંબરે દાવો કર્યો હતો કે વિનાશ 25 ડિસેમ્બર 2025 થી શરૂ થશે. જોકે, તાજેતરમાં તેણે નવો વીડિયો મૂકીને જણાવ્યું કે ભગવાને હોડીઓ તૈયાર કરવા માટે હવે વધુ સમય આપ્યો છે. આ ફેરફારને કારણે સોશિયલ મીડિયા પર તેની વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
Abo Noah Global Prophecy : સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ
ઘણા લોકો આ ભવિષ્યવાણીને માત્ર અફવા અને ડર ફેલાવવાનું સાધન ગણાવી રહ્યા છે. યુઝર્સે બાઈબલના સંદર્ભો ટાંકીને કહ્યું કે ભગવાને પૃથ્વી પર ફરી ક્યારેય આવું વૈશ્વિક પૂર ન લાવવાનું વચન આપ્યું છે. વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા લોકો તેને માનસિક ભ્રમણા ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : 1800 ફ્લાઈટ્સ રદ, 20 હજાર લેટ; જાણો અમેરિકામાં કુદરતના પ્રકોપ વિશે!


