Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

જેલ જતાં જ 'મહાપ્રલય' ટળી ગયો! જાણો આ શખ્સે કેવી રીતે આખી દુનિયાને ઉલ્લુ બનાવી?

બાઈબલની કથાઓનો સહારો લઈ હજારો લોકોને મહાપ્રલયનો ડર બતાવી પોતાની નાવમાં આશરો લેવા મજબૂર કરનાર Eboh Noah ની પોલ આખરે ખુલી ગઈ છે. ક્રિસમસના દિવસે જ સર્વનાશની ભવિષ્યવાણી કરનાર આ શખ્સને જ્યારે પોલીસે હથકડી પહેરાવી, ત્યારે તેણે ભગવાનનું નામ લઈ જે ખુલાસો કર્યો છે તે આશ્ચર્યજનક છે. તેની આ વિચિત્ર નાવ અને ધરપકડ પાછળની સંપૂર્ણ સત્ય હકીકત જાણવા જેવી છે...
જેલ જતાં જ  મહાપ્રલય  ટળી ગયો  જાણો આ શખ્સે કેવી રીતે આખી દુનિયાને ઉલ્લુ બનાવી
Advertisement
  • દુનિયા ડૂબવાની અફવા ફેલાવનાર 'આધુનિક નોઆ' જેલ ભેગો ( Ghana Eboh Noah Arrest)
  • ક્રિસમસ પર મહાપ્રલયની ભવિષ્યવાણી કરનાર ઇવાન્સ એશુન ગિરફ્તાર
  • નાવ બનાવી હજારો લોકોને ડરાવી જગ્યા બુક કરાવવાનું કૌભાંડ
  • જેલ જતાં જ પાખંડીનો સૂર બદલાયો: 'ભગવાને પ્રલય ટાળી દીધો'
  • સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધા ફેલાવતા પોલીસે પહેરાવી હથકડી

Ghana Eboh Noah Arrest : સમગ્ર વિશ્વ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે આફ્રિકન દેશ ઘાનાના એક શખ્સે 'મહાપ્રલય'ની અફવા ફેલાવીને હજારો લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. પોતાને ઈશ્વરનો અવતાર અને આધુનિક યુગનો 'નોઆ' (Eboh Noah) ગણાવતા ઇવાન્સ એશુનની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તેની હથકડી લાગેલી તસવીરો વાયરલ થતા જ અંધશ્રદ્ધાનો આ આખો ખેલ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયો છે.

કોણ છે ઇવાન્સ એશુન? (Ghana Eboh Noah Arrest)

30 વર્ષીય ઇવાન્સ એશુન ઓગસ્ટ 2025માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે એક યુટ્યુબ વીડિયો દ્વારા દાવો કર્યો કે તેને દૈવી સંકેત મળ્યા છે. તેણે દાવો કર્યો હતો કે 25 ડિસેમ્બરના રોજ પૃથ્વી પર ભારે વરસાદ થશે અને નોઆના સમય જેવું જ ભયાનક પૂર આવશે, જેમાં પાપીઓનો નાશ થશે. આ ડર ફેલાવીને તેણે ઘાનાના અંતરિયાળ વિસ્તારોમાં હજારો અનુયાયીઓ ઉભા કરી દીધા હતા.

Advertisement

Advertisement

નાવમાં બુકિંગ અને અંધશ્રદ્ધાનો વ્યવસાય (Ghana Eboh Noah Arrest)

બાઈબલમાં વર્ણવેલી 'નોઆની નાવ' (Noah's Ark) ની નકલ કરતા એશુને કેટલીક લાકડાની નાવો તૈયાર કરી હતી. તેણે પ્રચાર કર્યો હતો કે જે લોકો તેની નાવમાં શરણ લેશે, માત્ર તેઓ જ આ પ્રલયમાં બચી શકશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે ગભરાયેલા લોકો પોતાની અને પોતાના પરિવારની જગ્યા બુક કરાવવા માટે પડાપડી કરી રહ્યા હતા. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે તેણે બનાવેલી નાવો એટલી નબળી હતી કે તે સામાન્ય વરસાદમાં પણ ટકી શકે તેમ નહોતી.

ધરપકડ બાદ બદલાયો સૂર

ઘાના પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા અને ખોટી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ઇવાન્સની ધરપકડ કરવામાં આવી છે. જેવો તે પોલીસના સકંજામાં આવ્યો, તેની 'દૈવી શક્તિઓ' ઓસરી ગઈ હોય તેમ જણાયું. તેણે જેલમાં ગયા બાદ તરત જ નિવેદન આપ્યું કે, "ઈશ્વરે મારો પશ્ચાતાપ સ્વીકાર્યો છે અને હવે માનવતા પર આવનારો કયામતનો દિવસ ટાળી દીધો છે."

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયાના યુગમાં અંધશ્રદ્ધા કેટલી ઝડપથી ફેલાઈ શકે છે. હાલમાં પોલીસ તેની સાથે જોડાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરી રહી છે કે શું આ પાછળ કોઈ મોટું આર્થિક કૌભાંડ છુપાયેલું હતું.

આ પણ વાંચો : શાકભાજીની જેમ ચાઇનામાં ચાંદી વેચવા રેંકડીઓ લાગી, જાણો કારણ

Tags :
Advertisement

.

×